ભારતે કહ્યું છે કે પાકિસ્તાન આંતક અને ધર્મને લઇને પોતાનું વલણ બદલે તો દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. 'કલ્ચર અને પીસ' પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સત્રમાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ આશીષ શર્માએ કહ્યું કે જો પાકિસ્તાન ભારતમાં અલગ-અલગ ધર્મના લોકો સામે પોતાની હાલની નફરતની સંસ્કૃતિ અને સરહદ પારથી આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરે તો અમે દક્ષિણ એશિયામાં શાંતિ અને સંસ્કૃતિ સ્થાપવાની પહેલ કરી શકીએ છીએ.
આશીષ શર્માએ કહ્યું કે ક્યાં સુધી આપણે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની હત્યા, ધર્મ પરિવર્તન અને તેના પર થઇ રહેલા અત્યાચારના મૂક દર્શક બની રહીશું ? પરિસ્થિતિ એ છે કે પાકિસ્તાનમાં થઇ રહેલ સાંપ્રાદાયિક હત્યાઓને લઇને સમાન ધર્મના લોકોના પણ જીવ જઇ રહ્યાં છે. UNમાં શર્માએ ભારતનો પક્ષ રાખતા કહ્યું કે છેલ્લા વર્ષે શાંતિ કાયમ કરવા માટે સભા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનું ઉલ્લંઘન પાકિસ્તાન પહેલાં જ કરી ચૂક્યું છે.
Last month, Pakistan arbitrarily transferred the management of the Sikh holy shrine - Kartarpur Sahib Gurudwara, from Sikh Community body, to the administrative control of a non-Sikh body: Ashish Sharma, First Secretary of India’s permanent mission at UN https://t.co/tbAIRjdaTd
કરતારપુર સાહિબ ગુરુદ્વારાના પ્રબંધનમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફેરફારને લઇને ભારતે સવાલ ઉઠાવ્યાં છે. ભારતે કહ્યું કે ગત મહીને પાકિસ્તાનને શીખના પવિત્ર ધર્મસ્થળના પ્રબંધનની જવાબદારી ગેર શીખ સમુદાયને સોંપી દીધી.
આ શીખ ધર્મ અને તેમની સુરક્ષા વિરુદ્ધ છે. શર્માએ કહ્યું કે છેલ્લા પ્રસ્તાવમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારાનો ઉલ્લેખ છે અને પાકિસ્તાન પહેલાથી જ આ પ્રસ્તાવનો ઉલ્લંઘન કરી ચૂક્યું છે.