સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પડોશી દેશ પાકિસ્તાનનું નામ લીધા વગર ખૂબ ખરુ ખોટું સંભળાવી દીધું અને દુનિયાના દેશોને આતંકવાદની વિરુદ્ધ અભિયાન ચલાવવાની અપીલ કરી છે. ભારતના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જણાવ્યું કે 1993 મુંબઈ વિસ્ફોટના મુખ્ય ષડયંત્રકાર દાઉદ ઈબ્રાહીમ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર અન્ય આતંકવાદીઓને પડોસી દેશની રહેમનજર હેઠળ આશ્રય લઈ રહ્યા છે. ભારતથી ભાગેલો કુખ્યાત ગેંગસ્ટર અને લશ્કર એ તોયેબા તથા જૈશ- એ- મહોમ્મદ જેવા આતંકવાદી સંગઠનો દ્વારા ઉત્પન્ન ખતરાઓને નાબુદ કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયત્નોની વાત કરી છે.
અન્ય આતંકવાદીઓને પડોસી દેશની રહેમનજર હેઠળ આશ્રય લઈ રહ્યા છે
ઉચ્ચ સ્તરીય ઓપન ડિસ્કશનમાં ભારતે આ વાત કરી હતી
એક દેશ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકવાદી અને આતંકવાદી સંગઠનોનો ગઢ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદી અને સંગઠિત ગુનાઓની વચ્ચે સંબંધના મુદ્દા પર ઉકેલ’ વિષય પર ઉચ્ચ સ્તરીય ઓપન ડિસ્કશનમાં ભારતે આ વાત કરી હતી. ભારતે પોતાના નિવેદનમાં કહ્યું કે ભારત સીમા પારથી આયોજિત આતંકવાદથી પીડિત રહ્યુ છે. અમે બે દેશો વચ્ચે સંગઠિત ગુનાઓ અને આતંકવાદીઓની વચ્ચેના સંબંધોના દ્વંશને પ્રત્યક્ષ રીતે સહન કર્યુ છે.’
ભારતે કહ્યું કે સંગઠિત અપરાધી સિન્ડીકેટ, ડી કંપની, જે સોના અને નકલી નોટીની તસ્કરી કરતી હતી. જે રાતો રાત આતંકવાદી સંગઠનોમાં બદલાઈ ગયું છે અને તેણે 1993માં મુંબઈ શહેરના સિલસિલેવાર વિસ્ફોટ કરાવ્યા છે. આ હુમલામાં 250થી વધારે નિર્દોષોના મોત થયા છે. લાખો કરોડો ડૉલરની સંપતિને નુકશાન થયું છે.
નામ લીધા વગર ભારતે કહ્યું કે મુંબઈ વિસ્ફોટોનો જવાબદાર એક પડોશી દેશોની રહેમ નજર હેઠળ છે. એમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તે અનેક જગ્યાએ હથિયારોની તસ્કરી, નશીલી પદાર્થોનો વ્યાપાર, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકવાદી અને આતંકવાદી સંગઠનોનો ગઢ છે. આ આતંકવાદીઓ અને તેમના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહીથી માનવતાના હિતમાં છે.