ઈન્દોર ટેસ્ટમાં ભારત સામે પરાજયનો ખતરો સર્જાયો છે કારણ કે ઓસ્ટ્રેલિયાએ જીત માટે ફક્ત 76 રન જ કરવાના છે.
ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટમાં ભારતનો પરાજય નક્કી
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 76 રનનો મામૂલી ટાર્ગેટ
ટીમ ઈન્ડીયાનો સ્કોર 109 અને 163 રન
ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં બનાવ્યાં 197 રન
ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર ટેસ્ટમાં હારના ઉંબરે આવી ગઈ છે. મેચમાં બે દિવસીય રમત પૂરી થઈ ગઈ છે અને ભારતે કાંગારુ ટીમને જીતવા માટે માત્ર 76 રનનો મામૂલી ટાર્ગેટ આપ્યો છે. હવે મેચના ત્રીજા દિવસે (3 માર્ચ) ઓસ્ટ્રેલિયાની ટીમ લક્ષ્યનો પીછો કરવા ઉતરશે 76 રન કરી લેતા ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત થશે. પહેલા મેચની મેચમાં કેપ્ટન રોહિતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો જે ભારે પડ્યો અને આખી ટીમ 109 રનમાં જ ખખડી ગઈ જવાબમાં કાંગારુ ટીમે 197 રન બનાવી 88 રનની લીડ મેળવી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ભારતીય ટીમ માત્ર 163 રન જ બનાવી શકી હતી અને 76 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો. બીજી ઈનિંગમાં એક સમયે ભારતીય ટીમ સારી સ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારે 54 રનના નુકસાને 3 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગી રહ્યું હતું કે, ટીમ 250થી વધુ રન બનાવીને ઓસ્ટ્રેલિયાની સામે 150થી વધુ રનનો ટાર્ગેટ આપી શકે છે. પરંતુ આ યોજનાને ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લાયને નિષ્ફળ બનાવી દીધી હતી.
Mr. Dependable! 🫡
An invaluable FIFTY from @cheteshwar1 here in Indore.
ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ કર્યાં શાનદાર 59 રન
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં એકમાત્ર ગુજરાતી ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ઉકાળ્યું હતું. ચેતેશ્વરે શાનદાર 59 રન કર્યાં હતા. તેની સિવાય ટીમ ઈન્ડીયાનો એક પણ ખેલાડી ચાલ્યો નહોતો. જો પૂજારાને મીડલ ઓર્ડરમાં કોઈ સારો બેટ્સમેનનો સાથ મળ્યો હોત તો સ્કોર 250ને પાર ગયો હોત
Tea on Day 2 of the 3rd Test#TeamIndia 79/4, trail Australia by 9 runs. @cheteshwar1 going strong on 36*.