મુજફ્ફરનગરમાં આજે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા કિસાન મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન
કિસાન મોર્ચા દ્વારા એલાન કરવામાં આવ્યું
અગાઉ 25 સપ્ટેમ્બરે કર્યુ હતું ભારત બંધનું એલાન
27 સપ્ટેમ્બરના રોજ ખેડૂતોએ ભારતબંધનું એલાન કર્યું છે. અગાઉ 25 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે મહાપંચાયતમાં કિસાન મોર્ચા દ્વારા 27 સપ્ટેમ્બરે ભારત બંધ રાખવાનું આયોજન કર્યું છે.
ભારત બંધની તારીખ બદલીને 27 સપ્ટેમ્બર રાખવામાં આવી
આપને જણાવી દઈએ કે નવા કૃષિ કાયદાઓને પરત ખેચવા માટે ખેડૂતો છેલ્લા 9 મહિનાથી માગ કરી રહ્યા છે. પરંતુ સરકાર તેમની માગ નથી સ્વિકારી રહી જેથી આજે મુજફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ખેડૂતોએ ભારત બંધની તારીખ બદલીને 27 સપ્ટેમ્બર કરી છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અન્ય જાહેરાતો કરી
કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું કે 27 સપ્ટેમ્બરે ભારત બંધ વખતે દેશમાં બધુંજ બંધ રહેશે. આજે મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આંદોલનને લઈને અન્ય જાહેરાતો પણ કરી જેમા તેમણે કહ્યું કે તેઓ ધરણા સ્થળેથી તેઓ માગ નહી સ્વિકારવામાં આવે ત્યા સુધી નહી હટે. જ્યા સુધી તેઓ જીતશે નહી ત્યા સુધી તેઓ હટશે નહી.
છેલ્લા 9 મહિનાથી ખેડૂતો ધરણા પર
આપને જણાવી દીએ કે દિલ્હીની સરહદો પર છેલ્લા 9 મહિનાથી ખેડૂતો ધરણા આપીને બેઠા છે. તેમની માગ છે કે સરકાર દ્નારા જે ત્રણ નવા કૃષિ કાયદાઓ લાગૂ કરવામાં આવ્યા છે. તે કાયદાઓને પરત ખેચવામાં આવે. આ મામલે સરકાર સાખે ખેડૂતો 11 વખત બેઠક કરી ચુક્યા છે. તેમ છતા કોઈ નિવારણ નથી આવી રહ્યું.
કિસાન મોર્ચાએ કર્યું ભારત બંધનું એલાન
બીજી તરફ સરકારે પણ સ્પષ્ટ શબ્દોમાં ખેડૂતોને કહી દીધુ છે કે કૃષિ કાયદાઓને પરત ખેચવામાં નહી આવે. જેથી આ સમગ્ર મામલે 9 મહિનાથી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આજે ઉત્તરપ્રદેશના મુજફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા કિસાન મોર્ચા દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.