ભારતે આજે નવી સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં 100 કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂક્યું છે. અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે.
ભારતે આજે નવી સિદ્ધિ નોંધાવી છે. ભારતમાં 100 કરોડ લોકોનું વેકસીનેશન થઈ ચૂક્યું છે.
આ પ્રસંગે આજે ઘણી બધી ઉજવણીઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો આપના વડાપ્રધાન મોદીજી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ મંડવીયા RML હોસ્પિટલ પહોંચ્યા હતા.
Delhi | PM Modi visits RML Hospital as the number of Covid-19 vaccine doses administered in India crosses the 100 crore mark pic.twitter.com/s9X3CSzTTJ
બુધવારે 63.53 લાખનું વેકસીનેશન
બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી, સો કરોડના આંકડા સુધી પહોંચવા માટે 22,42,064 રસીઓ બાકી હતી.
16 જાન્યુઆરી, 2021: દેશની પ્રથમ રસી દિલ્હીના સ્વચ્છતા કાર્યકર મનીષ કુમારને આપવામાં આવી હતી.
દરરોજ સરેરાશ 35,971 ડોઝ: દેશમાં 9 મહિના પાંચ દિવસમાં રેકોર્ડ રસીકરણ કરવામાં આવ્યું.
3 રસીઓ: કોવિશિલ્ડ, કોવાક્સિન, સ્પુટનિક
વિશ્વમાં ક્યાં?...
ચીન: 110 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે
અમેરિકા: 21856 મિલિયન, યુરોપ: 443 મિલિયન
અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે 100 કરોડ ડોઝ લગાવ્યા બાદ અમે મિશન હેઠળ સુનિશ્ચિત કરીશું કે જેમને પહેલો ડોઝ લાગ્યું છે તેમને બીજો ડોઝ પણ લાગે જેથી કોવિડ 19થી તેમના સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારે કહ્યું કે જે ગામમાં સો ટકા રસીકરણ થઈ ચૂક્યું છે તેમને 100 કરોડ ડોઝની સિદ્ધિ માનવામાં આવશે. એટલા માટે અભિયાનમાં મહત્વના સ્વાસ્થ્ય કર્મીઓની પ્રશંસામાં પોસ્ટર બેનર લગાવવા જોઈએ.
સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના
ભારતમાં રસીકરણ અંતર્ગત 100 કરોડ ડોઝ આપવાનું સેલિબ્રેશન માટે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. દેશમાં 100 કરોડ ડોઝ આપવાના અવસર પર મંડાવિયા લાલ કિલાથી કૈલાશ ખેરના ગીત અને ઓડિયો વિઝ્યૂઅલ ફિલ્મ જારી કરશે. માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે દેશમાં રસીની સેન્યૂરી બનાવવાની લગભગ નજીક છીએ. આ સ્વર્ણિમ પ્રસંગના સહભાગી બનવા દેશવાસીને મારી અપીલ છે. જેમનું રસીકરણ બાકી છે તે તાત્કાલીક રસી લગાવીને ભારતનું ઐતિહાસિક સ્વર્ણિમ રસીકરણ પ્રવાસમાં પોતાનું યોગદાન આપે.
વિમાન જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત થશે
સ્પાઈસજેટ 100 કરોડ ડોઝની સિદ્ધિ મેળવવા પર ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર વિશેષ વર્દી જારી કરશે. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાત્ય સિંધિયા અને સ્પાઈઝેટના મુખ્ય પ્રબંધ નિર્દેશક અજય સિંહ હાજર રહેશે. માંડવિયાએ આની પહેલા કહ્યું હતું કે જ્યારે ભારત રસીકના 100 કરોડ ડોઝ લગાવવાની સિદ્દિ મેળવશે ત્યારે તે વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર જાહેરાત કરશે. આ સિદ્ધિનું સેલિબ્રેશન શહરેમાં કેન્દ્ર સરકારની હોસ્પિટલમાં કરવામાં આવશે. બુધવારે રાતે 10.37 વાગ્યે કોવિન પોર્ટલથી પ્રાપ્ત જાણકારી મુજબ દેશમાં રસીના 99.7 કરોડ ડોઝ લગાવાઈ ચૂક્યા છે.