દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં સૌથી વધુ 1 કરોડ કરતાં વધુ લોકોએ કોરોનાની રસી મુકાવી
આ પહેલા 27મી ઓગસ્ટે 1 કરોડ 3 લાખ 35 હજાર 290 લોકોએ રસીકરણ કરાવ્યું હતું
દેશમાં હજી સુધી 3,70,640 લોકોનું કોરોનાનો ઈલાજ ચાલે છે
દેશમાં અત્યાર સુધી 4,35,560 લોકોનું કોરોનામાં મોત નીપજ્યાં
કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન એક સારા સમાચાર પણ આવ્યા છે. ભારતમાં મંગળવારે સાંજે 6 વાગ્યા સુધી 1 કરોડ 8 લાખ 83 હજાર 963 રસીઓ આપવામાં આવી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. આજના રસીકરણ આંકડા હજી વધી શકે છે. મહત્વનું છે કે, આવું બીજી વખત થયું છે. જ્યારે એક જ દિવસમાં એક કરોડથી વધુ રસીકરણ કરવામાં આવ્યું છે. આ પહેલા 27મી ઓગસ્ટે 1 કરોડ 3 લાખ 35 હજાર 290 લોકોએ રસીકરણ કરાવ્યું છે.
મંગળવારે વધુ 350 લોકોના મોત નીપજ્યાં
બીજી બાજુ દેશમાં એક જ દિવસમાં કોરોનાના વધુ નવા 30,941 કેસો સામે આવ્યા છે. જેને પગલે દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 3,27,68,880 પર પહોંચી જવા પામી છે. જ્યારે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઓછી થઈને 3,70,640 સુધી થઈ ગઈ છે. કેન્દ્વીય સ્વાસ્થય મંત્રાલાયની તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ મંગળવારે સવારે 8 વાગ્યા સુધી સંક્રમણના લઈને વધુ 350 લોકોના મોત નીપજ્યાં છે. જેને લઈને દેશભરમાં મૃતકોની સંખ્યા 4,35,560 સુધી પહોંચી જવા પામી છે.
લોકોએ 3 અલગ અલગ બ્રાન્ડની કોરોનાની રસી મુકાવી
દેશમાં હજી સુધી 3,70,640 લોકોનું કોરોનાનો ઈલાજ ચાલી રહ્યો છે. જે કુલ મામલાઓના 1.13 ટકા છે.આમ દર્દીઓના સાજા થવાના રાષ્ટ્રીય દર 97.53 ટકા છે. આંકાડાના અનુસાર દેશમાં અત્યાર સુધી કુલ 52,15,41,098 લોકોના સેમ્પલોનું નિરક્ષણ કરવામાં આવ્યું છે.જેમાંથી 13,94,573 લોકોનું સેમ્પલોનું નિરક્ષણ સોમવારે કરાઈ હતી.આમ દૈનિક કોરોનાનો સંક્રમણ દર 2.22 ટકા રહ્યો છે. ત્યાં જ સાપ્તાહિક સંક્રમણનો દર 2.51 ટકા રહેવા પામ્યો છે. જો પાછલાં 67 દિવસો ત્રણ ટકા થી ઓછું છે. દેશમાં અત્યાર સુધી 3,19,59,680 લોકોનું સંક્રમણથી મુક્ત થઈ ચુક્યાં છે. અને કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા રહ્યો છે.