ભારતીય ટીમ વન-ડે સિરીઝ જીતી ચૂકી છે જેથી બાકીની મેચમાં બીજા યુવા ખેલાડીઓને તક મળી શકે છે.
નવા ખેલાડીઓને મળી શકે તક
દિપક ચહરને મળી શકે છે આરામ
દેવદત્ત પડિક્કલ કરી શકે છે ભારત માટે ઓપનિંગ
ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં શ્રીલંકાને 3 વિકેટથી હરાવીને એક રોમાંચક જીત મેળવી હતી અને તેની સાથે જ ભારતે 3 મેચની સિરિઝને 2-0થી જીતી લીધી છે. વન-ડે સિરીઝની છેલ્લી મેચ 23 જુલાઇના રોજ કોલંબોમાં રમાવાની છે. ભારતે સિરીઝ જીતી લીધી છે અને ત્રીજી મેચમાં આ ખેલાડીઓને તક મળી શકે છે. શ્રીલંકા પ્રવાસ માટે ભારતના કોચ તરીકે દ્રવિડની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે દ્રવિડે નિવેદન આપ્યુ હતું કે, સિરીઝમાં પ્રત્યેક ખેલાડીને રમવાની તક મળશે.
નીતિશ રાણા
મનીષ પાંડે પહેલી મેચમાં માત્ર 26 રન બનાવી શક્યો હતો. મનીષ પાંડેના આ ખરાબ ફોર્મને લીધે ટીમમાં નીતિશ રાણાને જગ્યા મળી શકે છે. નીતિશ રાણા છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી માટે અને IPLમાં કોલકાતા માટે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ત્રીજી વન-ડેમાં ભારત મનીષ પાંડેના સ્થાને નીતિશ રાણાને ચોક્કસપણે તક મળી શકે છે.
દેવદત્ત પડિક્કલ
ત્રીજી વન-ડેમાં પૃથ્વી શૉના સ્થાને ટીમમાં દેવદત્ત પડિક્કલને જગ્યા મળી શકે છે. સિરીઝમાં જીત મેળવ્યા બાદ ભારતીય કોચ દ્રવિડ ટીમના બાકી યુવા ખેલાડીઓને તક આપવા માટે આતુર છે. જો ટીમ મેનેજમેન્ટ બાકીના ખેલાડીઓને તક આપવાનો નિર્ણય લે તો દેવદત્ત પડિક્કલ શિખર ધવન સાથે ભારત માટે ઓપનિંગ કરતો જોવા મળશે. પડિક્ક્લ છેલ્લા કેટલાય સમયથી ઘરેલુ ક્રિકેટમાં કર્ણાટક માટે સદંતર સારું પ્રદર્શન કરી રહ્યો છે. પડિક્કલે IPL 2021માં બેંગલોર માટે વિસ્ફોટક સદી પણ ફટકારી હતી.
બીજી મેચના હીરો દિપક ચહરને સિરીઝની છેલ્લી મેચમાં આરામ મળી શકે છે. દીપકના સ્થાને ટીમમાં ચેતન સાકરીયાને તક મળી શકે છે. ચેતન પાસે બોલને બંને તરફ સ્વિંગ કરવાની આવડત છે. IPL 2021માં રાજસ્થાન માટે સારું પ્રદર્શન કરવા માટે ચેતનને ભારતીય ટીમમાં સિલેકટ કરવામાં આવ્યો હતો. જો ટીમ દીપકને આરામ આપવાનો નિર્ણય લેશે તો ચેતન ભુવનેશ્વર કુમાર સાથે બોલિંગની શરૂઆત કરતો જોવા મળશે
મિસ્ટ્રી સ્પિનર તરીકે જાણીતા વરુણ ચક્રવર્તીને સિરીઝની છેલ્લી મેચમાં તક મળી શકે છે. IPLમાં કોલકાતા માટે સતત સારું પ્રદર્શન કરવા માટે વરુણને ભારતીય ટીમમાં સિલેકટ કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવની જગ્યાએ ટીમ મેનેજમેન્ટ વરુણ ચક્રવર્તીને તક આપી શકે છે.