ભારતમા કોરોના વાયરસનાં દૈનિક કેસમાં મોટી રાહત મળી છે, એક તરફ જ્યાં દુનિયાભરમાં નવા કેસોએ હાહાકાર મચાવ્યો છે ત્યાં ભારતમાં કેસ ઘટી રહ્યા છે જે રાહતની વાત કહી શકાય.
ભારતમા કોરોના વાયરસનાં કેસમાં ઘટાડો
છેલ્લા 24 કલાકમાં પાંચ હજાર કેસ સામે આવ્યા
ઓમિક્રૉનની દહેશત વચ્ચે મોટી રાહત
ભારતમા નવા કેસની સંખ્યામાં ઘટાડો
દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ફેલાતી ચિંતા વચ્ચે ભારતમા કોરોના વાયરસનાં કેસમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં ભારતમા કોરોના વાયરસનાં નવા પાંચ હજાર 326 કેસ સામે આવ્યા છે. સોમવારે આ આંકડો 6 હજાર 563 હતો.
સાંજ થનારા દર્દીઓની સંખ્યા વધારે
ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર દેશમાં 24 કલાકમાં 8 હજારથી વધારે દર્દીઓ કોરોના વાયરસને મહાત આપીને સાજા થઈ ગયા આછે જ્યારે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 79 હજાર જ રહી ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 3 કરોડ 47 લાખ કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે. આ સિવાય 24 કલાકમાં 453 દર્દીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.
ઓમિક્રૉનનાં કેસમાં ઉછાળો
નોંધનીય છે કે બીજી તરફ દેશમાં ઓમિક્રૉન વેરિયન્ટનાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આંકડાઓ અનુસાર દેશમાં હાલમાં કુલ 170 કેસ નોંધાયા છે, જોકે મોટા ભાગના કેસમાં હલકા લક્ષણ જોવા મળી રહ્યા છે.
ઓમિક્રૉનની દહેશત
નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમિક્રૉનનાં કારણે ખૂબ ચિંતા ફેલાઈ રહી છે. યુરોપના અનેક દેશોમાં ફરીથી કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે તથા WHO પણ આ મુદ્દે ખૂબ ગંભીર છે. તાજેતરમાં જ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે ઓમિક્રૉનને રોકવામાં ચીનની વેક્સિનનાં બે બે ડોઝ લીધા હોય તો પણ કઈ કામના નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દુનિયાભરની મોટા ભાગની વેક્સિન આ નવા વેરિયન્ટને રોકી શકે તેમ નથી.