દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યારે જૂન મહિનાના 20 દિવસમાં દેશમાં વધુ 2 લાખ કેસ નવા જોવા મળ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત અને યૂપીમાં વધારે કેસ જોવા મળી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15413 નવા કેસ આવ્યા છે અને 306 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ આંક 4 લાખ 10 હજારને પાર થયો છે.
દેશમાં વધ્યો કોરોનાનો કહેર
24 કલાકમાં 15413 નવા કેસ, 306 મોત
દેશમાં કોરોનાનો કુલ આંક 4.10લાખને પાર પહોંચ્યો
કોરોનાએ શનિવારે દેશમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. 24 કલાકમાં દેશમાં 15413 નવા કેસ આવ્યા છે. એક દિવસમાં આટલા કેસે ચિંતામાં વધારો કર્યો છે. શનિવારે કુલ 306 લોકોના મોત થયા છે. દેશમાં શનિવારે 4 લાખ 10 હજાર 461 કન્ફર્મ કેસ થયા છે. ફક્ત 8 દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા 3થી 4 લાખ પહોંચી છે.
નવા કેસની સાથે વધી રહ્યો છે મોતનો આંક
સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતી અનુસાર દેશમાં કોરોનાના 1 લાખ 69 હજાર 451 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 13254 દર્દીઓના જીવ લીધા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં 2 લાખ 27 હજાર 755 લોકો કોરોનાથી રિકવર થયા છે.
4 લાખ સંક્રમિતોમાં 31.03 ટકા દર્દીઓ ફક્ત મહારાષ્ટ્રમાં
દેશમમાં કોરોનાના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. 4 લાખ સંક્રમિત કેસમાં 31.03 ટકા દર્દીઓ ફક્ત મહારાષ્ટ્રમાં છે. તમિલનાડુમાં 14.19 ટકા, દિલ્હીમાં 13.26 ટકા અને ગુજરાતમાં 6.54 ટકા દર્દીઓ છે. સૌથી ઓછા કોરોના કેસ મેઘાલયમાં છે. અહીં ફક્ત 43 લોકો સંક્રમિત મળ્યા છે.
દિલ્હીમાં 24 કલાકમાં નોંધાયા 3630 કેસ
દિલ્હીમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. અહીં 24 કલાકમાં 3630 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 77 દર્દીના મોત પણ થયા છે.
રિકવરી રેટ આટલે પહોંચ્યો
દુનિયાની બીજી સૌથી મોટી આબાદી વાળો દેશ હોવા છતાં અહીં કોરોનાની ગતિ ધીમી છે. અહીં 143 દિવસમાં આટલા દર્દી આાવ્યા છે. જો કે રિકવરી રેટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ 55. 48 ટકાનો છે.