મોદી સરકારના મંત્રીઓને પોતાના ખાતાની વહેંચણી શરૂ થઇ ગઇ છે. નિર્મલા સીતારામણને નવા નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. તેણી પૂર્ણ પ્રભારવાળી પહેલી મહિલા નાણામંત્રી બન્યા છે. વિત્તમંત્રી બન્યા બાદ તેમની સામે 100 દિવસોમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે.
જો કે, મોદી સરકારના બીજા કાર્યકાળમાં મોટાપાયે સુધારાઓને અંજામ આપવામાં આવી શકે છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર પણ કહી ચૂક્યા છે કે, પ્રથમ 100 દિવસમાં કેટલાય મોટા આર્થિક સુધારાઓ કરવામાં આવી શકે છે.
શ્રમ સુધારણાથી ખાનગીકરણ તરફ
કુમારના જણાવ્યા મુજબ, પ્રમુખ આર્થિક સુધારાઓમાં શ્રમ કાનૂનોમાં બદલાવ કરવા, ખાનગીકરણની ગતિ વધારવી ઔદ્યોગિક વિકાસ માટે લેન્ડ બેંક તૈયાર કરવી જોવા અનેક મુદ્દાઓ શામેલ કરવામાં આવ્યા છે.
44 શ્રમ કાયદા પર નજર
તેમણે વધુમાં કહ્યું કે, દેશના જટિલ શ્રમ કાયદાઓને આધનિક પરિસ્થિતિને અનુકુળ બનાવવામાં આવે અને આ કામ જુલાઇમાં સંસદ સત્ર દરમિયાન પુરા કરવામાં આવશે. ત્યારે સરકાર લોકસભાથી શ્રમ કાયદાઓથી જોડાયેલ નવા નિયમો પાસ કરાવવામાં આવી શકે છે. આ બિલમાં 44 કેન્દ્રીય કાયદાઓને ચાર સંહિતાઓ, વેતન, ઔદ્યોગિક સંબંધ, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, તથા વ્યવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામકાજી પરિસ્થિતિમાં સમાવિષ્ઠ કરવામાં આવશે.
વહેંચાશે અથવા બંધ થશે 42 કંપનીઓ
નિતી આયોગના ઉપાધ્યક્ષે કહ્યું કે, સરકરા આગામી કેટલાક મહિનામાં સરકારી નિયંત્રમ વાળી 42 કંપનીઓનું પૂર્ણ રીતે ખાનગીકરણ કરશે અથવા તેને બંધ કરવાનો નિર્ણય કરશે. સરકાર એર ઇન્ડિયામાં પણ વિદેશી રોકાણની અવધિ વધારવાનો વિચાર કરી શકે છે. એર ઇન્ડિયાનું વધતુ જતું નુકસાન સરકાર માટે માથાનો દુ:ખાવો બન્યો છે.
બેંકિગ સેક્ટર અને ટેક્સ કલેક્શન
આર્થિક વૃદ્ધિના દરમાં થઇ રહેલ પડતી અને નોકરીઓના અભાવને લઇને રાજીવ કુમારે કહ્યું કે, બેંકોની કથળેલી બેલેન્સ સીટ અને નોન-બેંકિંગ ફાયનાન્સ સેક્ટરના સંકટથી અર્થ વ્યવસ્થા પર નકારાત્ક પ્રભાવ પડી શકે છે. તેમણે કહ્યું કે, સરકારે સાર્વજનિક ક્ષેત્ર તથા બેંકોના કામકાજમાં સુધાર લાવવાની સાથે મૂળભૂત ઢાંચો અને નવી આવાસીય પરિયોજના પર ખર્ચ વધારવો પડશે.