ઉત્તરાખંડમાં નિયંત્રણ રેખા LACની નજીક ચાલી રહેલા ભારત-અમેરિકાનાં યુદ્ધાભ્યાસ પર ચીનનાં વિરોધ પર વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયનાં પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત કોની સાથે મિલિટ્રી એક્સરસાઇઝ કરશે તે તેનો આંતરિક મુદો છે. ચીન પોતાના ખુદનાં સમાધાનોનું ઉલ્લંઘન કરે છે.
બાગચીએ ચીનને આપ્યો કડર જવાબ
બાગચીએ કહ્યું કે અમારો અમેરિકા સાથે સંબંધ છે જેને લઇને કોઇ વીટો નહીં કરી શકે. ચીને બુધવારે કહ્યુ કે આ વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ભારત-અમેરિકાનાં જોઇન્ટ મિલિટ્રી એક્સરસાઇઝનો વિરોધ કરે છે અને આ નવી દિલ્હી અને બેજિંગની વચ્ચે હસ્તાક્ષરિત 2 સીમાઓ સાથે સમાધાનની ભાવનાનું ઉલ્લંઘન કરે છે.
If you were to ask me, in these years, what has been the really remarkable change in how India views the world, in terms of relationships, I think there's no question, it's our relationship with the United States: External Affairs Minister Dr S Jaishankar pic.twitter.com/9eZr8lZCUN
ચીની વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ઝાઓ લીઝિયાને બેજિંગમાં બુધવારે કહ્યું કે ચીન-ભારત સીમા પર એલએસીની નજીક ભારત અને અમેરિકાની વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 1993 અને 1996માં ચીન અને ભારતની વચ્ચે થયેલ સમાધાનની ભાવનાનું ઉલ્લંઘન કરે છે. તેની સાથે જ તેમણે દાવો હતો કે આ ચીન અને ભારતની વચ્ચે વિશ્વાસને પૂરો કરતો નથી.
શું છે ઉદેશ્ય?
એલએસીથી લગભગ 100 કિમી દૂર ઉત્તરાખંડમાં ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસ 'યુદ્ધ અભ્યાસ' ચાલી રહ્યો છે. જેનો ઉદેશ્ય શાંતિ સ્થાપના અને આંતરિક રાહત કાર્યોમાં બંને સેનાઓની વચ્ચે પારસ્પરિકતાને વધારો અને કુશળતા શેર કરવાનું છે. આશરે 2 અઠવાડિયા સુધી ચાલતનારા આ યુદ્ધાભ્યાસ હાલમાં જ શરૂ થયું છે.