RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને નોટબંધી અને જીએસટીને ભારતની આર્થિક વૃધ્ધિના રસ્તા પરની બે મોટી અડચણો બતાવી જેના કારણે ગત વર્ષે આર્થિક વૃધ્ધિની ઝડપ પર અસર જોવા મળી. પૂર્વ આરબીઆઇના ગર્વનર રઘુરામ રાજનએ કહ્યું કે બે વર્ષ પહેલા નોટબંધી અને જીએસટી આ મુદ્દાથી પ્રભાવિત થયા પહેલા 2012થી 2016 સુધીના ચાર વર્ષ દરમિયાન ભારતનો આર્થિક દર ઘણો ઝડપી રહ્યો. નોટબંધી અને જીએસટીના બે સતત ઝટકાએ દેશની આર્થિક વૃધ્ધિ પર ગંભીર અસર કરી.
આ ઉપરાંત રઘુરામ રાજનએ વધુમાં જણાવ્યું કે સાત ટકા હાલનો વૃદ્ધિ દર દેશની જરૂરિયાત માટે પર્યાપ્ત નથી. ભારત દેશનો વૃદ્ધિ દર એવો સમયે ઘટવા લાગ્યો જ્યારે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરે ગતિ પકડી રહ્યો હતો. રઘુરામ રાજનએ કહ્યું કે 25 વર્ષ સુધી સાત ટકા આર્થિક વૃદ્ધિ દર ઘણી મજબૂત વૃદ્ધિ છે.
હાલમાં ભારતમાં વધારે રોજગાર સર્જન કરવાની જરૂરિયાત છે. વૈશ્વિક વૃદ્ધિ પ્રતિ ભારતનું સંવેદનશીલ હોવાની વાતનો સ્વીકાર કરતાં રઘુરામ રાજને કહ્યું કે ભારત હવે ઘણી ખુલી અર્થવ્યવસ્થા છે. જો વિશ્વ વૃધ્ધિ કરે છે તો ભારત પણ વૃદ્ધિ કરે છે. 2017માં જ્યારે વિશ્વમાં વૃધ્ધિ દરે ગતિ પકડી ત્યારે ભારતની પકડ ઢીલી પડી ગઇ. જે પરથી જાણી શકાય છે કે નોટબંધી અને જીએસટીના કારણે ભારતની અર્થ વ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે.