નવી દિલ્હીઃ ભારતે ICCના ત્રણ મોટા ઇવેન્ટ (50 ઓવર ક્રિકેટ વર્લ્ડ કપ ટી-20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી)માં ચેમ્પિયન બનનારા મહેન્દ્રસિંહ ધોનીએ એકવાર ફરી ટીમ ઇન્ડિયાના કેપ્ટન બન્યા.
37 વર્ષના ધોનીએ 696 દિવસો બાદ ટીમ ઇન્ડિયાની કપ્તાની સંભાળી છે. 2017માં ધોનીએ કપ્તાની છોડવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ જ વિરાટ કોહલીએ પોતાના ઉત્તરાધિકારી બનાવવાનો રસ્તો બનાવ્યો છે.
અફઘાનિસ્તાનના મંગળવારે એશિયા કપ વનડે ટૂર્નામેન્ટના સુપર-4 મુકાબલામાં ભારત વિરૂદ્ધ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય પ્રશંસકો માટે આ મેચમાં મહેન્દ્રસિંહ ધોની ખુશખબર લઇને આવ્યા.
ખુશખબરી એવી હતી કે શરૂઆતમાં તો કોઇએ આ વાત પર ભરોસો પણ ન હોતો કર્યો પરંતુ આ વાત સાચી સાબિત થઇ.
ધોની અફઘાનિસ્તાનની સાથે થયેલ મેચમાં ટોસ માટે પહોંચ્યા અને સિક્કો ઉછાળતા જ તેમણે વનડેમાં પોતાની કપ્તાની ડબલ સેન્ચુરી પૂરી કરી લીધી.
એશિયા કપમાં ફાઇનલમાં સ્થાન પાક્કુ કરી ચુકેલી ટીમ ઇન્ડિયાએ આ મેચમાં રોહિત શર્માને આરામ આપ્યો અને ધોનીને પોતાના 200માં વનડેમાં કેપ્ટનમાં મોકો આપ્યો છે.
આની સાથે જ ધોની ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગના ક્લબમાં સામેલ થયા છે.
ધોની વર્લ્ડ ક્રિકેટના ત્રીજા એવા કેપ્ટન બન્યા જેમણે 200 અથવા તેનાથી વધુ વનડે મેચોમાં પોતાની ટીમની કપ્તાની કરી છે.
ધોની પહેલા રિકી પોન્ટિંગ 230 વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાની કપ્તાની કરી ચૂક્યા છે. જ્યારે સ્ટીફન ફ્લેમિંગ 218 વનડે મેચોમાં ન્યૂઝીલેન્ડ ટીમની કમાન સંભાળી ચૂક્યા છે.
ધોની જો ટીમ ઇન્ડિયાને આ મેચ જિતાડે તો તેમની કપ્તાનીમાં આ ભારતની 111મીં વનડે જીત હશે.