ચીનની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય નૌસેનાએ રશિયાની નૌસેના સાથે સયુંક્ત અભ્યાસમાં પરાક્રમ બતાવી રહી છે. બંગાળની ખાડીમાં શુક્રવાકે મોટા પાયે આ અભ્યાસ ચાલુ થયો હતો. આ અભ્યાસ 2 દિવસ સુધી ચાલશે. અધિકારીઓનું કહેવું છે કે આ સંયુંક્ત અભ્યાસનો હેતુ વિભિન્ન સુરક્ષાના પડકારોને પહોંચી વળવા માટે બન્ને નૌસેનાની આંતરિક ક્ષમતાને મજબૂત કરવાનો છે.
બંગાળની ખાડીમાં ભારત-રશિયા નૌસેનાનો બે દિવસીય યુદ્ધાભ્યાસ
બંગાળની ખાડીમાં નૌસેનાનો 'ઇન્દ્રા-2020' યુદ્ધાભ્યાસ શરુ થયો છે. ભારત-રશિયાની નૌસેનાએ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો છે. બંગાળની ખાડીમાં ભારત-રશિયા નૌસેનાનો બે દિવસીય યુદ્ધાભ્યાસની શરુઆત થઈ ગઈ છે
આ અભ્યાસ દરમિયાન ભારતીય નૌસેનાએ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રાયર રણવિજય, સ્વદેશી ફ્રિગેટ સહયાદ્રી અને ફ્લીટ ટૈન્કર શક્તિ તથા પોતાના હેલિકોપ્ટરની સાથે અભ્યાસ સત્રમાં ઓછા રહેશે. રશિયા તરફથી ડિસ્ટ્રોયર એડમિરલ વિનોગ્રાદોવ, ડિસ્ટ્રોયર એડમિર ટ્રિબ્યૂટ્સ અને ફ્લીટ ટેન્કર બોરિસ બુટોમાનોને અભ્યાસ માટે મોકલ્યા છે.
ભારત-રશિયાની નૌસેના 2003થી યુદ્ધાભ્યાસ કરે છે. યુદ્ધાભ્યાસથી બંને દેશો વચ્ચે દોસ્તી વધુ મજબૂત થશે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચીન સાથે સીમા પર તણાવ છે ત્યારે આ અભ્યાસ ખૂબ મહત્વનો છે.