કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધી ભારતના રસ્તાઓ અમેરિકા જેવા બની જશે.
સંસદમાં નીતિન ગડકરીએ કહી આ વાત
2024 સુધીમાં અમેરિકા જેવા રસ્તા હશે
60 કિમીની અંદર એક જ ટોલનાકુ હશે
કેન્દ્રીય પરિવહન અને સડક મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે લોકસભામાં કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધી ભારતના રસ્તાઓ અમેરિકા જેવા બની જશે. તેમણે કહ્યું કે, ભારતને સમૃદ્ધ બનાવવા માટે એ બાંયેધરી આપુ છું કે, ડિસેમ્બર 2024 પહેલા ભારતના રસ્તાનો રો઼ડમૈપ અમેરિકા જેવો થઈ જશે.
રોડના આધારભૂત રોડમેપ વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે, સરકાર કેટલાય અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. જેમાં દિલ્હીથી જયપુર, હરિદ્વારથી દહેરાદૂન બે કલાકમાં પહોંચી શકાશે. ગડકરીએ કહ્યું કે, આ ઉપરાંત દિલ્હીથી અમૃતસર 4 કલાકમાં, ચેન્નાઈથી બેંગલુરૂ બે કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચવાનો ટાર્ગેટ સાથે પ્રોજેક્ટ પર આ વર્ષના અંત સુધીમાં પુરુ કરવાની આશા છે. તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં અમારા પ્રયત્નો રહેશે કે, આ પ્રોજેક્ટને પુરા કરવામાં આવે. જેમાં શ્રીનગરથી 20 કલાકમાં મુંબઈ પહોંચી શકાય.
#WATCH | ...American roads are not good because America is rich but America is rich because American roads are good. To make India prosperous, I ensure that before Dec'24 India's road infrastructure will be like America: Union Transport & Road Minister Nitin Gadkari, in Lok Sabha pic.twitter.com/6YyHZZza9p
તેમણે કહ્યું કે, આપણા રસ્તાઓ દેશની સમૃદ્ધિ સાથે જોડાયેલા છે અને રસ્તાનો આધારભૂત માળખાના વિકાસથી દેશની સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે. ગડકરીએ કહ્યું કે, આત્મનિર્ભર, સુખી, સમૃદ્ધ અને સંપન્ન ભારત બનાવામા મોદી સરકારે સંકલ્પ કર્યો છે અને તેને પુરુ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે, વર્ષ 2024 સુધી ભારતના રસ્તાઓનો આધારભૂત રોડમેપ અમેરિકા બરાબર થઈ જશે. જેનાથી વિકાસ અને આર્થિક વૃદ્ધિ થશે તથા પર્યટનને પ્રોત્સાહન મળશે.
દરેક ગાડીમાં છ એરબેગ લગાવવું ફરજિયાત
ગડકરીએ કહ્યું કે, આપણે પૈસા જોઈએ પણ લોકોને તકલીફ આપી શકીએ નહીં. તેમણે કહ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખતા અમે એ ફરજિયાત કર્યું છે કે, 8 મુસાફરો સુધી લઈ શકતી દરેક કારમાં 6 એરબેગ હોવા જોઈએ. સરકારે દર વર્ષે દોઢ લાખ લોકોના રોડ અકસ્માતમાં મોત થતાં હોવાનું સ્વિકાર્ય કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સાંસદોની ભલામણ માનતા સ્થાનિક લોકોને ક્ષેત્રના ટોલ નાકામાંથી પસાર થતી વખતે આધાર કાર્ડ પર આધારિત પાસ બનાવશે. તેમણે કહ્યું કે, ત્રણ મહિનાની અંદર એ નક્કી કરવામાં આવશે કે, 60 કિમીની અંદર એક જ ટોલ નાકું હોય, બાકીના બંધ કરી દેવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ
લોકસભામાં વર્ષ 2022-23 માટે સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના બજેટ પર ચર્ચા કરતા ગડકરીએ કહ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં 60 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ તથા જોજિલા સુરંગ વર્ષ 2026ના ટાર્ગેટની જગ્યાએ 2024 સુધી પુરો કરી દેવાની આશા છે.