દેશમાં કોરોનાના કેસ વધવાના કારણે ભારત 17મા સ્થાનથી ફરી એકવાર 5મા સ્થાને પહોંચ્યું છે.
કોરોનાના કેસે વધારી ભારતની ચિંતા
17મા સ્થાનથી પહોંચ્યું 5મા ક્રમે
અમેરિકા, બ્રાઝિલ, ઈટાલી અને ફ્રાન્સ ભારતથી આગળ
દેશમાં વધી રહેલા કોરોનાના નવા કેસને લઈને ભારતની ચિંતામાં વધારો થયો છે. નવા કેસના કારણે ભારત 17મા સ્થાનથી 5મા સ્થાને પહોંચી ચૂક્યું છે. અત્યારની સ્થિતિમાં 4 દેશો અમેરિકા, બ્રાઝિલ, ઈટાલી અને ફ્રાન્સ ભારતથી આગળ જોવા મળી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી 24 કલાકમાં કુલ 17407 નવા કેસ આવ્યા છે. જે છેલ્લા એક મહિનામાં સૌથી વધારે છે. આ પહેલા 29 જાન્યુઆરીએ 24 કલાકમાં 18855 નવા કેસ આવ્યા હતા. દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને હાલમા 1,11,56,923 પહોંચી છે જ્યારે 89 અન્ય કોરોના દર્દીના મોત થયા છે. મહામારીમાં મૃતકોની સંખ્યા વધીને 1,57,435 થઈ છે.
બ્રાઝિલમાં અમેરિકાથી વધારે નવા દર્દીઓ
ખાસ વાત એ છે કે 2-3 દિવસથી બ્રાઝિલમાં નવા દર્દીના કેસ અમેરિકાથી પણ વધારે આવી રહ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર બુધવારે બ્રાઝિલમાં દુનિયામાં સૌથી વધારે 74376 નવા કેસ આવ્યા છે જ્યારે અમેરિકામાં આ સંખ્યા 66879 રહી હતી.
નવા દર્દીઓ વાળા દેશના ટોપ 5 શહેરોની સંખ્યા 5 દિવસના એવરેજના આધારે વર્લ્ડોમીટરના અનુસાર
અમેરિકામાં 59515 નવા કેસ, બ્રાઝિલમાં 52885 નવા કેસ, ફ્રાન્સમાં 19659 નવા કેસ, ઈટાલીમાં 17437 નવા કેસ અને ભારતમાં 15435 નવા કેસ આવ્યા છે. મળતી માહિતી અનુસાર 69 ટકાથી વધારે સક્રિય કેસ ફક્ત 5 દેશોમાં જોવા મળી રહ્યા છે. દુનિયામાં કોરોનાનો આંત 11.57 કરોડથી વધારે થયો છે. તેમાંથી 9 કરોડ 14 લાખથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે તો 25.7 લાખથી વધારે લોકોએ જીવ ખોવ્યા છે. દુનિયામાં કુલ સક્રિય લોકોની સંખ્યા હવે 2.18 કરોડની છે.
पिछले 24 घंटे में सामने आए कोरोना वायरस के 85.51% नए मामले महाराष्ट्र, केरल, पंजाब, तमिलनाडु, गुजरात और कर्नाटक से हैं: केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण मंत्रालय #COVID19pic.twitter.com/qQahO1i9Qd
વર્લ્ડોમીટરના આંકડા અનુસાર દુનિયાભરના કુલ દર્દીની ટકાવારી દેશના આધારે
અમેરિકામાં 40.8 ટકા, ફ્રાન્સમાં 15.5 ટકા, બ્રિટનમાં 04.5 ટકા, બ્રાઝિલમાં 3.6 ટકા, બેલ્જિયમમાં 3.2 ટકા, ભારત 0.7 ટકા કુલ સક્રિય દર્દીઓ ધરાવે છે. સક્રિય દર્દીઓની સંખ્યામાં ભારત અત્યારે 13મા સ્થાને છે. દેશમાં મહામારીથી મૃત્યુ પામનારાની સંખ્યા ઓછી છે પણ સક્રિય કેસ વધી રહ્યા છે. ગુરુવારે સક્રિય કેસમાં 3287 કેસ વધતા કુલ દર્દીની સંખ્યા 1,73,413 થઈ છે. આ સંખ્યા કુલ સંક્રમિતોના 1.55 ટકા છે. દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 97.03 ટકા થયો છે. સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.55 ટકા થઈ છે પણ મૃત્યુ દર હજુ પણ 1.41 ટકા રહ્યો છે.
Karnataka reports 571 new #COVID19 cases, 496 recoveries and 4 deaths in the last 24 hours.
Total cases 9,53,136
Total recoveries 9,34,639
Death toll 12,350
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સંક્રમણના નવા કેસમાં આ રાજ્યોના 85.51 ટકા કેસ છે. પંજાબ અને મધ્યપ્રદેશમાં સારવાર લઈ રહેલા કેસ વધી રહ્યા છે. રાજસ્થાન, છત્તીસગઢ અને હરિયાણામાં પણ સારવાર લેનારાની સંખ્યા વધી છે. જો કે 24 કલાકમાં કેરળ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને આસામમાં પણ સારવાર લેનારાની સંખ્યા વધી છે.
2,616 new #COVID19 cases and 14 deaths reported in Kerala today. There are 44,441 active cases in the state and total recoveries stand at 10,20,671: Kerala government
મહારાષ્ટ્ર- કેરળમાં કોરોનાના સૌથી વધારે લોકો થયા સાજા
મહારાષ્ટ્ર- કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા સૌથી વધારે રહી છે. મહારાષ્ટ્ર પહેલા અને કેરળ બીજા નંબરે છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6559 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં કુલ 20.43 લાખથી વધુ લોકો સંક્રમણમુક્ત થયા છે. કેરળમાં કુલ 10.16 લાખથી વધારે લોકો સારવાર બાદ કોરોનાની જંગ જીતી ચૂક્યા છે.