UNની 75મી વર્ષગાંઠમાં પાકિસ્તાના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત પર આરોપ લગાવ્યા છે. તેઓએ અગાઉ પણ જમ્મૂ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતે તેની પર જવાબ આપતાં કહ્યું હતું કે જમ્મૂ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ભારતે પાકિસ્તાનને પીઓકે પરનો કબ્જો પણ ખાલી કરવા માટે કહ્યું હતું. શનિવારે યૂએના ભાષણમાં ઈમરાન ખાનનું ભાષણ શરૂ થતા જ ભારતે બોયકોટ કર્યો અને સાથે જ ભારતના પ્રતિનિધિ TS તિરૂમૂર્તિએ વોકઆઉટ કર્યો હતો.
UNમાં પાકિસ્તાને ભારત પર કર્યા આક્ષેપ
ભારતે ઇમરાનના ભાષણનો કર્યો બહિષ્કાર
ભારતના પ્રતિનિધિએ કર્યું વોકઆઉટ
કોરોના વાયરસ સંકટના કારણે આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન વર્ચ્યુઅલ રીતે કરાયું છે, આ સમયે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને મહાસભામાં સંબોધન કર્યું અને તેઓએ જ્યારે બોલવાનું શરૂ કર્યું ત્યારે ભારત પર ટિપ્પણી કરતાં ભારતે તેનો સખત વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં એસેમ્બલી હોલમાં હાજર ભારતીય પ્રતિનિધિ યી.એસ તિરુમૂર્તિએ વોકઆઉટ કરી લીધું.
#WATCH This is the same country that provides pensions for dreaded&listed terrorists out of State funds...We call upon Pak to vacate all those areas that it's in illegal occupation of: Mijito Vinito,First Secy,India Mission to UN exercises India's right of reply to Pak PM at UNGA pic.twitter.com/PiXDSZAYTJ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે 75મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાક પીએમનું નિવેદન નવા રાજકીય દાવા અને નિમ્નસ્તર સાથેના હતા. તેમના નિવેદનમાં વ્યક્તિગત હુમલો, જૂઠાણું અને પાકિસ્તાનના અલ્પસંખ્યકો પર અત્યાચાર અને સીમા પારના આંતકવાદને ન જોતાં ભારત પર ટિપ્પણી કરવાનું સામેલ હતું.
ભારતે આપ્યો વળતો જવાબ
ભારતે પણ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ સત્રમાં ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપતાં કહ્યું કે દુનિાયને એવા દેશથી માનવઅધિકારો પર શીખ લેવાની જરૂર નથી જેને નર્સરી અને આતંકવાદના ઉત્પાદકના રૂપમાં જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં સંબોધન કરતાં જેનેવામાં ભારતના સ્થાયી મિશનના પ્રથમ સચિવ સેંથિલ કુમારે કહ્યું કે પાકિસ્તાન ભારતની વિરુદ્ધ નિરાધાર અને અપમાનજનક ટિપ્પણી કરવા માટેના અવસર શોધી રહ્યું છે જે તેમના મનની નકારાત્મકતા દેખાડે છે.