દેશમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. 24 કલાકમાં 1.70 લાખ નવા કેસ અને 904 મોત સાથે તમામ રેકોર્ડ તૂટી ચૂક્યા છે.
કોરોનાની બીજી લહેરનો કહેર
મહામારીએ તોડ્યા તમામ રેકોર્ડ
24 કલાકમાં 1.70 લાખ નવા કેસથી હાહાકાર
મોતનો આંક પણ 900ને પાર થતા વધી ચિંતા
કોરોના સંક્રમણની બીજી લહેર ઘાતક બની રહી છે અને સંક્રમણ જે ગતિએ વધી રહ્યું છે તે ચિંતાજનક સાબિત થી રહ્યું છે. મહામારી અત્યારસુધીના પીક પર પહોંચી છે. વર્લ્ડોમીટર અનુસાર 24 કલાકમાં દેશમાં 1,69,899 નવા કેસ આવ્યા છે તો સાથે જ એક દિવસમાં સૌથી વધારે એટલે કે 904 મોતનો આંક પણ ચોંકાવનારો સાબિત થઈ રહ્યો છે.
રોજ સાજા થનારાની સંખ્યા ઘટે છે અને નવા કેસ વધે છે
ગયા અઠવાડિયે 7માંથી 6 દિવસમાં રોજ સંક્રમણના કેસ 1 લાખથી વધુ આવ્યા છે. સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે પણ સાથે જ રિકવર થઈ રહેલા દર્દીની સંખ્યા ઘટી રહી છે અને દેશની ચિંતા વધી રહી છે. દેશમાં સારવાર લઈ રહેલા દર્દીની સંખ્યા ઉચ્ચ સ્તરે પહોંચી છે, સાથે રાહતની વાત એ છે કે કોરોનાના ટેસ્ટિંગ અને વેક્સીનેશનમાં જે ઝડપ આવી છે તે કોરોનાની લડાઈમાં કારગર સાબિત થશે.
અઠવાડિયામાં 6 દિવસ નવા કેસ 1 લાખને પાર
દેશમાં રોજ લગભગ 1,24,476 નવા કોરોનાના કેસ આવ્યા છે. જ્યારે પહેલી લહેરના લગભગ 97 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. રવિવારે 5 તારીખે 24 કલાકમાં પહેલીવાર સંક્રમણનો આંક 1 લાખેને પાર કરી ચૂક્યો હતો ્ને સાથે જ ત્યારથી રોજ 1 લાખથી વધુ નવા કેસ આવતા ચિંતા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે અને મોતના આંકમાં પણ વધારો જોવા મળ્યો છે. આ સમયે દેશમાં સંક્રમણના કુલ કેસમાં બમણો વધારો થવાનો સમય 60.2 દિવસનો થઈ રહ્યો છે કો મોતના કેસ બમણા થવાનો સમય 139.5 દિવસનો જોવા મળી રહ્યો છે.
એક અઠવાડિયામાં 50 ટકા વધી સારવાર લેનારા દર્દીઓની સંખ્યા
5 એપ્રિલની સવારે દેશમાં સક્રિય દર્દીનો આંક 7,37,872 હતો જે 11 એપ્રિલની રાતે 11,89,856 સુધી પહોંચી ચૂક્યો છે. એટલે કે એક અઠવાડિયામાં એક્ટિવ કેસમાં 50 ટકાનો વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર રવિવારની સવાર સુધી સક્રિય કેસની સંખ્યા 8.29 ટકા રહી છે. જે સાત દિવસ પહેલા 5.86 ટકા હતી.
રીકવરી રેટમાં ઘટાડો
એક અઠવાડિયામાં રિકવરી રેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક છે. એક અઠવાડિયા પહેલા 92.79 ટકાથી ઘટીને રવિવારે 90.44 થયો હતો. એટલે કે સાજા થનારા દર્દીની સંખ્યા ઘટી રહી છે અને હોસ્પિટલમાં દર્દીની સંખ્યા વધી રહી છે.
મૃત્યુદરમાં 2 ગણો થયો છે દૈનિક રીતે વધારો
5 એપ્રિલની સવારે 24 કલાકમાં દેશમાં 477 દર્દીના મોત થયા હતા. જે આંક રવિવારની સવારે 838 અને સોમવારની સવારે 904ને પાર કરી ચૂક્યો છે. અન્ય તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં રોજના સંક્રમિત દર્દીમાંથી 1.27 ટકા દર્દીઓના જીવ જાય છે. 5 એપ્રિલે મૃત્યુદર 1.37 ટકા હતો જે આંશિક રીતે ઘટ્યો છે.