કોરોનાને લઈને ભારતમાં સારા સમાચાર આવી રહ્યા છે. રોજ બરોજ નોંધાતા કેસમા 2 દિવસ બાદ ફરીથી ઘટાડો નોંધાયો છે. રોજ નવો રેકોર્ડ બની રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે 24 કલાકમાં દેશભરમાં ફક્ત 680 કોરોનાના દર્દી નોંધાયા છે. આ પહેલા મંગળવારે છેલ્લા દોઢ મહિનામાં સૌથી ઓછા મોતનો રિકોર્ડ બન્યો હતો. નોંધનીય છે કે આ પહેલા 28 જુલાઈના 654 દર્દીઓના મોત થયા હતા. આ બાદ દરરોજ 800થી 900 દર્દીઓના મોત થઈ રહ્યા હતા.
ફક્ત ચાર રાજ્યો ટેન્શન આપી રહ્યા છે
યૂપીમાં રિકવરી રેટ 90 ટકા કરતા વધારે થઈ ગયો છે
દેશમાં 63,83,442 દર્દીઓ સાજા થયા છે
ફક્ત ચાર રાજ્યો ટેન્શન આપી રહ્યા છે કેમ કે અહીં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાંથી પ. બંગાળની સ્થિતિ ખૂબ ખરાબ છે. દેશમાં 50.5 ટકા નવા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં આવ્યા છે. તમિલનાડુને બાદ કરીએ તો બાકીના 4 રાજ્યોમાં 390 મોત નિપજ્યા છે. આ રીતે અહીં દેશના કુલ 57 ટકા મોત અહીં થયા છે.
દેશમાં સૌથી વધારે એક દિવસમાં મોત 15 સપ્ટેમ્બરમાં થઈ હતી. દિવસે 1290 મોત થયા હતા. મંગળવારે 24 કલાકમાં 706 લોકોના મોત થયા જ્યારે બુધવારે 730 દર્દીઓએ દમ તોડ્યો હતો. દેશમાં કુલ 1,11,266 લોકોના મોત થયા. એક દિવસમાં 67,708 કેસ આવ્યા, જ્યારે અત્યાર સુધી 73,07,098 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 8,12,390 એક્ટિવ કેસ છે.
દેશમાં 63,83,442 દર્દીઓ સાજા થયા છે જેના રિકવરી રેટ વધીને 87.4 ટકા થઈ ચૂક્યો છે. જ્યારે મોતનો રેટ ઘટીને 1.5 ટકાથી ઓછો થઈ ગયો છે. 24 કલાકમાં 11.3 લાખ કોરોના ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં 9.1 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
યૂપીમાં રિકવરી રેટ 90 ટકા કરતા વધારે થઈ ગયો છે. આંકડા મુજબ બુધવારે 3736 દર્દીઓ કોરોનાથી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 4,01,306 લોકો સાજા થઈ ચૂક્યા છે. ત્યારે રિકવરી રેટ 90.23 ટકા થઈ ગયો છે.