દેશમાં 287 દિવસમાં એટલે કે મંગળવારે સૌથી ઓછા કોરોનાના મામલા સામે આવ્યા છે.
દેશમાં 287 દિવસમાં સૌથા ઓછા ડેલી કેસ નોંધાયા
24 કલાકમાં મરનારાની સંખ્યા 197 રહી
24 કલાકમાં કોરોનાના 8865 નવા કેસ નોંધાયા
દેશમાં 287 દિવસમાં સૌથા ઓછા ડેલી કેસ નોંધાયા
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહીં એ તો આવનારો સમય બતાવશે. પણ હાજર સમયમાં કોરોના સંપૂર્ણ કાબૂમાં આવતો જોવા મળી રહ્યો છે. દેશમાં 287 દિવસમાં એટલે કે મંગળવારે સૌથી ઓછા કોરોનાના મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ ભારતમાં આજે 24 કલાકની અંદર કોરોનાના 8865 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે આનાથી મરનારાની સંખ્યા 197 રહી છે.
એક્ટિવ કેસ 525 દિવસમાં સૌથી ઓછા
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં 24 કલાકમાં નવા કેસની સરખામણીએ રિકવરી કરનારાની સંખ્યા વધારે છે. ગત 24 કલાકમાં 11971 દર્દી સાજા થઈ ચૂક્યા છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં 130792 એક્ટિવ કેસ બચ્યા છે. જે 525 દિવસમાં સૌથી ઓછા છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ઘટીને 0.80 ટકા પર આવી ગયો છે.
નવા મામલા આવ્યા બાદ 3 હજાર 303 મામલાનો ઘટાડો નોંધાયો
ઉલ્લેખનીય છે કે નવા મામલા આવ્યા બાદ 3 હજાર 303 મામલાનો ઘટાડો નોંધાયો છે. નવા આંકડા બાદ હાલમાં દેશમાં 1 લાખ 30 હજાર 793 એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 3 કરોડ 38 લાખ 61 હજાર 756 લોકો સાજા થયા છે. નવા મામલા મળ્યા બાદ દેશમાં કોરોનાના કુલ મામલાની ખરાઈ કરી જે સંખ્યા 3 કરોડ 44 લાખ 56 હજાર 401 થઈ ગઈ છે.
રસીકરણની સ્થિતિ શું છે
ત્યારે રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધી 1 અરબ 12 કરોડ 97 લાખ 84 હજાર 45 ડોઝ અપાઈ ચૂક્યા છે. જેમાંથી 59 લાખ 75 હજાર 459 ડોઝ સોમવારે અપાયા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળતી માહિતી મુજબ દેશમાં 75 કરોડ 50 લાખ 64 હજાર 850 ને પહેલો ડોઝ લાગી ચૂક્યો છે અને 37 કરોડ 51 લાખ 62 હજાર 789 ને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.