કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા
દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ
જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચ્યો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે, પરંતુ લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. કોરોનાના નવા-નવા વેરિયન્ટ આવતા હોવાથી કોરોનાના કેસમાં ગમે ત્યારે ઊછાળો આવી શકે છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 861 નવા કેસ નોંધાયા છે અને 6 લોકોના મોત થયા છે. તે જ સમયે, 929 લોકો કોરોનાથી સાજા થયા છે અને 11,058 સક્રિય કેસ નોંધાયા છે. જે પછી એક્ટિવ રેટ 0.03 ટકા થઈ ગયો છે. 6 મોત બાદ દેશમાં કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચી ગયો છે.
India reports 861 fresh #COVID19 cases, 929 recoveries, and 6 deaths in the last 24 hours.
Active cases: 11,058 (0.03%)
Death toll: 5,21,691
Total recoveries: 4,25,03,383
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,03,383 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185,74,18,827 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,44,870 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.
18+ની વયના લોકોને બૂસ્ટર ડોઝ આપવાનો શરૂ
કોરોનાની કેસોની વચ્ચે કાલથી દેશભરમાં 18 વર્ષ થી 59 વર્ષ સુધીના લોકો માટે બૂસ્ટર ડોઝ શરૂ થઈ ગયો છે. વેક્સિન નિર્માતા કંપની સિરમ ઈસ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાને ખાનગી હોસ્પિટલોને પોતાની કોવીશીલ્ડ વેક્સીનને 600 રૂપિયાના બદલે 225 રૂપિયામાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ આપશે. તમને જણાવી દઈએ કે, 15 વર્ષ થી વધુ ઉંમર વાળ 96 ટકા બાળકોને કોવીડ-19 રસી ઓછામાં ઓછો એક ડોઝ આપાઈ ચુક્યો છે. જ્યારે 15 વર્ષથી વધુ ઉમંરના 83 ટકા લોકોને બંને ડોઝ અપાઈ ચુક્યા છે.