ભારતમાં ગત 24 કલાકની અંદર કોરોના સંક્રમણના નવા મામલામાં ભારે વધારો નોંધાયો છે.
ગત 24 કલાકમાં 43 હજાર 654 નવા કેસ નોંધાયા
640 લોકો સંક્રમિત થવાથી જીવ ગયા
41 હજાર 678 લોકો સાજા થયા
ગત 24 કલાકમાં 43 હજાર 654 નવા કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર ગત એક દિવસમાં દેશની અંદર કોરોનાના 43 હજાર 654 નવા કેસ નોંધાયા છે. જેમાંથી અડધાથી વધારે કેસ ફક્ત કેરળ છે. ત્યારે આ દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા હજું પણ વધી રહ્યા છે અને આ સમયમાં 640 લોકો સંક્રમિત થવાથી જીવ ગયા છે.
41 હજાર 678 લોકો સાજા થયા
જો કે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4 લાખની નીચે બનેલી છે. હાલમાં દેશમાં કોરોનાના 3 લાખ 99 હજાર 436 એક્ટિવ કેસ છે. ગત 24 કલાકમાં કોરોનાથી 41 હજાર 678 લોકો સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 લાખ 22 હજારથી વધારે જીવ ગયા છે. ત્યારે 3 કરોડ, 6 લાખ 63 હજાર 147 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારાનો દર હાલમાં 97.39 ટકા પર છે. ત્યારે દૈનિક સંક્રમણ દર 5 ટકાની નીચે છે.
કેરળે બનાવ્યો રેકોર્ડ
મંગળવારે કેરળમાં કોરોનાના 22 હજાર 129 નવા મામલા આવ્યા છે. ગત 51 દિવસમાં પહેલી વાર કોઈ રાજ્યમાં કોરોનાના 20 હજારથી વધારે નવા મામલા એક દિવસમાં મળ્યા છે. રાજ્યમાં તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઈ ગયો છે. કેરળમાં સંક્રમણના નવા મામલાના રેકોર્ડે એક વાર ફરીથી ચિંતા વધારી છે. તાજા આંકડા મુજબ રાજ્યમાં એક દિવસની અંદર 156 લોકોના કોરોનાથી જીવ ગયા છે.