દેશમાં કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે અને સાથે દક્ષિણ રાજ્ય કેરળથી રોજના 20 હજારથી વધુ કેસ આવતા કેસની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ સંક્રમણ વધ્યું છે.
દેશમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ
સતત 5માં દિવસે 40,000થી વધુ કેસ નોંધાતા હડકંપ
કેરળમાં રોજના 20 હજારથી વધુ નવા કેસે વધારી ચિંતા
મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં પણ સંક્રમણ વધ્યું
દેશમાં ફરી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે. કેટલાક દિવસોથી રિકવરી રેટની તુલનામાં કોરોનાના નવા કેસની સંખ્યા વધી રહી છે. સતત 5મા દિવસે 40 હજારથી નવા કેસ આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર 24 કલાકમાં કોરોનાના 41831 નવા કેસ આવ્યા છે અને 541 દર્દીના મોત થયા છે.
આવી છે કેરળની સ્થિતિ
કેરળમાં સતત 5માં દિવસ 20 હજારથી વધુ કેસ આવવાના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. કેરળ હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેરળમાં એક દિવસમાં 20 હજાર 624 કેસ નોંધાયા છે અને સાથે કેરળમાં એક દિવસમાં 80 લોકોના મૃત્યુ થયા છે. કેરળમાં આ વિકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી દેવાયું છે.
દેશના 8 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ છે
દેશની વાત કરીએ તો દેશમાં કોરોનાના કારણે 46 જિલ્લા પ્રભાવિત હોવાનું માનવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરનો ફેલાવો અટકાવવા માટે પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડમાં કડક લોકડાઉન લાગૂ છે. ઓડિશા, તમિલનાડુ, મિઝોરમ, ગોવા, પુડુચેરીમાં કડક લોકડાઉન લાગૂ છે. કુલ 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન જોવા મળી રહ્યું છે.
કેન્દ્ર સરકારે આપી ચેતવણી
જે રાજ્યોમાં 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ જોવા મળી રહ્યો છે તેને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને મોટી ચેતવણી આપી છે. આ સાથે તેમને પ્રતિબંધ લાગૂ કરવાનું કહ્યું છે. સરકારનું કહેવું છે કે જે 5 રાજ્યોમાં 80.36 ટકા કેસ છે ત્યાં કડક નિયમો લાગૂ કરવાની જરૂર છે. હાલમાં સરકાર કેરળને લઈને ખાસ પગલા લઈ રહી છે.
ભારતમાં યથાવત કોરોનાનું સંક્રમણ
દેશમાં એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 41 હજાર 786 નોંધાયા છે અને સાથે એક દિવસમાં કોરોનાથી સ્વસ્થ દર્દી 39 હજાર 304 થયા હોવાનુ જાણવા મળ્યું છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી મૃત્યુઆંક 542 થયો છે. દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 4 હજાર 804 નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 16 લાખ 54 હજાર 584 પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ દર્દીની કુલ સંખ્યા 3 કરોડ 8 લાખ 12 હજાર 873 થઈ છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4 લાખ 24 હજાર 384 પહોંચી ચૂક્યો છે.
દેશમાં કોરોનાની શું સ્થિતિ?
કોરોનાના કુલ કેસ
3,16,54,584 એક્ટિવ કેસ
4,04,804 સાજા થયા
3,08,12,873
દેશમાં કોરોનાની શું સ્થિતિ? કયા રાજ્યમાં કેટલા કેસ છે તે પણ જાણો