ગઈ કાલે દેશભરમાં કોરોનાના 34 હજાર 703 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 111 દિવસમાં સૌથી ઓછા છે.
ગઈ કાલે દેશભરમાં કોરોનાના 34 હજાર 703 નવા કેસ સામે આવ્યા
પાછલા 111 દિવસમાં સૌથી ઓછા નવા કોરોનાના કેસ
અત્યાર સુધી 35.71 કરોડથી વધુનું થઈ ચુક્યું વેક્સિનેશન
દેશમાં કોરોનાના નવા કેસ સતત ઓછા થઈ રહ્યા છે. ગઈ કાલે દેશભરમાં કોરોનાના 34 હજાર 703 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 111 દિવસમાં સૌથી ઓછા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 101 દિવસથી ભારતમાં એક્ટિવ કેસ પણ પોતાના નિચલા સ્તર પર આવી ગયા છે. હાલ દેશમાં કોરોનાના 4 લાખ 64 હજાર 357 દર્દીઓ સારવાર હેઠળ છે.
24 કલાકમાં આટલા દર્દીઓ સાજા થયા
હવે દેશમાં કુલ સંક્રમિતોનો દર 1.52 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 હજાર 864 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. સતત 54 દિવસના કોરોનાના નવા કેસોની તુલનામાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. ત્યાં જ કોરોનાથઈ સાજા થનારનો દર પણ વધીને 97.17 ટકા પર પહોંચી ગયો છે.
વેક્સિનેશનની વાત કરવામાં આવે તો...
વેક્સિનેશનની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-19 વેક્સિનેશન અત્યાર સુધી 35.71 કરોડથી વધુ થઈ ચુક્યું છે. એત રિપોર્ટ અનુસાર સોમવારે વેક્સિનના 41.34 લાખથી વધુ ડોઝ આપવામાં આવી ચુક્યા છે. 18-44 વર્ષની ઉંમરમાં 18,30,741 લોકોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે. અને 1,40,368 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિનેશન અભિયાનના ત્રીજા ચરણની શરૂઆત બાદથી કુલ મળીને, 18-44 વર્ષની ઉંમરના 10,25,96,048 લોકોએ પોતાનો પહેલો ડોઝ લઈ લીધો છે અને 29,19,735 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.