એક દિવસમાં કોરોનાના નવા કેસ 4 લાખથી નીચે નોંધાયા છે જેને લીધે રાહત મળી છે. 24 કલાકમાં દેશમાં નવા કેસની સંખ્યા 3 લાખ 66 હજાર 317 થઈ છે તો મૃત્યુઆંક 3 હજાર 747 રહ્યો છે.
ભારતમાં એક દિવસમાં કોરોનાના કેસ ઘટ્યા
એક દિવસમાં કોરોનાના નવા કેસ 3 લાખ 66 હજાર 317
એક દિવસમાં કોરોનાથી દેશમાં 3 હજાર 747ના મૃત્યુ
દેશમાં કોરોનાના સંક્રમણમાં નજીવી રાહત મળી છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ 4 લાખથી નીચે નોંધાયા છે. એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 3 લાખ 66 હજાર 317
પહોંચ્યા છે તો સાથે એક દિવસમાં ભારતમાં કોરોનાથી રિકવર દર્દી 3 લાખ 53 હજાર 580 થયા છે. ભારતમાં કોરોનાથી એક દિવસનો મૃત્યુઆંક 3 હજાર 747 થયો છે. તો દેશમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 37 લાખ 41 હજાર 368 સુધી પહોંચી છે. દેશમાં કોરોનાના કુલ કેસ 2 કરોડ 26 લાખ 62 હજાર 410 થઈ ચૂક્યા છે તો ભારતમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 86 લાખ 65 હજાર 266 થઈ છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2 લાખ 46 હજાર 146 સુધી પહોંચી ગયો છે. કોરોનાના સંક્રમિત દરની વાત કરીએ તો તે 82.15 ટકા સુધી પહોંચી ચૂક્યો છે.
10 રાજ્યોમાં 71 ટકા નવા કેસ નોંધાયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે 24 કલાકમાં આવેલા નવા કેસની સંખ્યામાં 71.15 ટકા મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી સહિત 10 રાજ્યોના છે. અન્ય 10 રાજ્યોમાં કેરળ, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, પ. બંગાળ, રાજસ્થાન અને હરિયાણા છે. કુલ 30.22 કરોડ કેસની તપાસ થઈ છે અને દૈનિક સંક્રમણ રેટ 21.64 ટકાનો છે. 20 રાજ્યોમાં 10 લાખની આબાદીમાં મૃત્યુદર 176થઈ ઓછો છે. તો 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ રાષ્ટ્રિય સ્તરથી વધારે છે.
देश में अब तक 16,94,39,663 कोरोना वैक्सीन की डोज़ दी जा चुकी है। इसमें पिछले 24 घंटे में दी गई 20,23,532 कोरोना डोज़ भी शामिल है: सूचना और प्रसारण मंत्रालय #COVID19