દેશમાં આજે કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે 3436 લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક પણ 2,22,383 સુધી પહોંચ્યો છે.
આજે કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડને પાર
કુલ મોતનો આંક પણ 2,22,383 સુધી પહોંચ્યો
24 કલાકમાં 3,55,680 પોઝિટિવ કેસ, 3436 મોત થયા
દેશમાં અત્યાર સુધી 2 કરોડ 2 લાખ 75 હજાર 543 કેસ નોંધાયા છે તો સાથે જ 1 કરોડ 66 લાખ 703 લોકો સાજા થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં 2,22,383 લોકોના કોરોનાથી મોત થયા છે. ગઇકાલે 3,55,680 પોઝિટિવ કેસ નોંધાયા હતા તો સાથે જ 24 કલાકમાં 3436 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા કેસ આવ્યા
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 48,621 કેસ અને 567 મોત થયા છે. કેરળમાં 26,011 કેસ અને 45 મોત, કર્ણાટકમાં 44,43 કેસ અને 239 મોત તો ઉત્તર પ્રદેશમાં 29,052 કેસ અને 285 મોત થયા છે. રાજધાની દિલ્લીમાં 18,043 કેસ અને 448 મોત થયા છે. બંગાળમાં 17,501 કેસ, 98 મોત થયા હોવાનું આંકડા સૂચવી રહ્યા છે.
સપ્ટેમ્બરમાં આવ્યો હતો પહેલો પીક
ગયા મહિને એપ્રિલ અને મે મહિનામાં રોજ દેશમાં 2-5 હજાર નવા કેસ આવી રહ્યા હતા. જૂનમાં આ સંખ્યા વધીને 5-20 હજારની થઈ. જુલાઈમાં 20-57 હજાર સુધી રોજ નવા સંક્રમિતો મળી રહ્યા હતા. ઓગસ્ટમાં આ આંકડો 60-75 હજાર સુધી પહોંચ્યો. સપ્ટેમ્બરમાં 1 દિવસમાં 97 હજાર કેસ આવ્યા હતા. 17 સપ્ટેમ્બરે પહેલો પીક આવ્યો હતો. હવેનો નવો પીક મે મહિનામાં આવવાની શક્યતા છે.
देश में पर्याप्त मात्रा में ऑक्सीजन उपलब्ध है। एक अगस्त 2020 को ऑक्सीजन का उत्पादन देश में 5,700 मीट्रिक टन था, जो अब लगभग 9,000 मीट्रिक टन हो गया है। हम विदेशों से भी ऑक्सीजन का आयात कर रहे हैं: गृह मंत्रालय के एडिशनल सेक्रेटरी #COVID19pic.twitter.com/WVuHBlAs2d
મોતમાં ભારત દુનિયામાં ત્રીજા ક્રમે
સૌથી વધારે મોત થયા હોય તેવા દેશમાં ભારતનો ક્રમ દુનિયામાં ત્રીજો છે. અહીં અત્યાર સુધીમાં 2 લાખ 18 હજાર 945 લોકોના મોત થયા છે. પહેલા નંબરે 5.92 લાખના આંક સાથે અમેરિકા અને 4.07 લાખ મોત સાથે બીજા નંબરે બ્રાઝિલનો નંબર છે. ત્રીજા નંબરે ભારત અને ચોથા નંબરે 2.17 લાખ મોત સાથે મેક્સિકોનું નામ છે.
देश में अब तक 81.77% मामले ठीक हुए हैं। देश में करीब 34 लाख सक्रिय मामलों की संख्या बनी हुई है। अब तक संक्रमण से 2 लाख के करीब मृत्यु दर्ज़ की गई है। पिछले 24 घंटे में देश में 3,417 लोगों की मृत्यु दर्ज़ की गई है: स्वास्थ्य मंत्रालय के संयुक्त सचिव लव अग्रवाल #COVID19pic.twitter.com/svdFF7R2qP
2 દિવસથી ઘટી રહ્યા છે નવા કેસ
દેશમાં 2 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે દેશમાં 3 લાખ 69 હજાર 942 નવા દર્દી આવ્યા છે. આ સાથે 2 લાખ 99 હજાર 800 લોકો સાજા થયા છે. શુક્રવારે દેશમાં 4 લાખથી વધુ નવા કેસ આવતા વધુ એક રેકોર્ડ તૂટ્યો હતો.
દેશમાં રિકવરી રેટ વધ્યો
લવ અગ્રવાલનું કહેવું છે કે દેશમાં એક પોઝિટિવ ટ્રેન્ડ છે. રિકવરી રેટ સતત વધી રહ્યો છે. 2 મેના રોજ આ રેટ 78 ટકા હતો અને 3 મેના રોજ 82 ટકા થયો છે. ઈન્ડસ્ટ્રીના ઓક્સીજનને મેડિકલ યૂઝમાં લેવાનો પ્લાન બનાવાઈ રહ્યો છે અને આ માટે રાજ્યોની સાથે વાત પણ ચાલી રહી છે. હવે દેશમાં 1050માં પીએસએ ઓક્સીજન પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે. ઓક્સીજન પ્લાન્ટની પાસે કોવિડ સેન્ટર પણ તૈયાર કરાશે.