દેશમાં કોરોનાના એક દિવસમાં 24, 354 નવા મામલા સામે આવ્યા બાદ કુલ મામલાની સંખ્યા 3, 37, 91, 061 થઈ. જ્યારે 24 કલાકમાં 234 દર્દીના જીવ ગુમાવવાથી સંક્રમણના મૃતકોની સંખ્યા 4, 48,573 પર પહોંચી ગઈ છે. આની જાણકારી સરકારે આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 273, 889 છે. જે ગત 197 દિવસના ન્યૂનતમ સ્તર પર છે.
એક્ટિવ કેસની સંખ્યા 0.81 ટકા છે
મંત્રાલયે જણાવ્યું કે એક્ટિવ કેસની સંખ્યા 0.81 ટકા છે જે માર્ચ 2020થી બાદથી સૌથી ઓછા છે જ્યારે કોવિડ 19થી સાજા થનારનો દર 97.86 ટકા છે જે માર્ચ 2020 બાદથી સૌથી વધારે છે. આંકડા મુજબ ગત 24 કલાકમાં એક્ટિવ કેસની સંખ્યા 1335નો ઘટાડો નોંધાયો છે.
કઈ તારીખે કેટલા કેસ આવ્યા
દેશમાં ગત વર્ષ 7 ઓગસ્ટના સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગ્સ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધારે થઈ ગઈ હતી. ત્યારે સંક્રમણના કુલ મામલા 16 સપ્ટેમ્બરે 50 લાખ, 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને પાર થઈ ગયા હતા. દેશમાં 19 ડિસેમ્બરે આ મામલા 1 કરોડને પાર થઈ ગયા આ વર્ષે 4 મે એ 2 કરોડને પાર અને 23 જૂને 3 કરોડને પાર થઈ ગયા હતા.