નવરાત્રિના પહેલા દિવસે કોરોનાના આવેલા નવા મામલામાં લોકોની ચિંતા વધારી દીધી છે.
દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા
24 કલાકમાં 22 હજારથી વધારે નવા મામલા આવ્યા
318 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા
કોરોનાના દૈનિક મામલા ફરીથી 20ને પાર થઈ ગયા છે. ગત 24 કલાકમાં 22 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. જ્યારે 318 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે 24 હજાર 602 દર્દીઓ સાજા થઈ ગયા છે.
ગત અઠવાડિયે કોરોનાના નવા મામલા 15 હજારની નીચે આવી ગયા હતા
ભારતમાં તહેવારોની સીઝનની શરુઆત થઈ ચૂકી છે. બીજી તરફ કોરોનાના મામલામાં ઉત્તાર ચઢાવ જારી છે. કોઈ દિવસ મામલા વધી જાય છે કો કોઈ દિવસ ઓછા થઈ જાય છે. ગત અઠવાડિયે કોરોનાના નવા મામલા 15 હજારની નીચે આવી ગયા હતા. પરંતુ 3 દિવસથી કોરોનાની સ્પીડ વધતી જઈ રહી છે. મંગળવારે કોરોનાના મામલા 18 હજારની આસપાસ હતા. પરંતુ બુધવારે કોરોનાના નવા મામલાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
એક્ટિવ કેસમાં ઘટાડો
રાહતની વાત એ છે કે એક્ટિવ કેસ સતત ઓછા થઈ રહ્યા છે. હવે એક્ટિલ કેસ ફક્ત 2.44 લાખ રહી ગયા છે. આ ઉપરાંત સાજા થનાર લોકોના દરમાં પણ સુધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં 97.95 ટકા છે.
તહેવારમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું છે
બીજી તરફ કેરળમાં કોરોનાના દૈનિક મામલામાં ઘટાડો નથી આવી રહ્યો. કેરળમાં નવા સંક્રમિતોને મળવાનો સિલસિલો જારી છે. આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર સહિત અનેક અન્ય રાજ્યોમાં સંક્રમણના મામલા પહેલાથી ઘણા ઓછા થયા છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આજથી ધાર્મિક સ્થળોને ખોલી દેવામાં આવ્યા છે. જોકે આ દરમિયાન કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું છે.