24 કલાકમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા મામલા નોંધાયા.
45 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં સૌથી ઓછા કેસ નોંધાયા
વાયરસના 1.73 લાખ નવા મામલા
24 કલાકમાં એક દિવસમાં દેશમાં 3617 લોકોના જીવ ગયા
45 દિવસમાં પહેલીવાર 24 કલાકમાં સૌથી ઓછા કેસ નોંધાયા
ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી જોવા મળી રહી છે. રોજના આવનારા કેસમાં ઘટાડો જારી છે અને ગત 24 કલાકની અંદર દેશમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા મામલા નોંધવામાં આવ્યા છે. ગત 45 દિવસોમાં પહેલી વાર છે જ્યારે કોરોનાની આટલા મામલા નોંધાયા છે. જો કે મોતના આંકડા હજું પણ 3500ને પાર છે. એક દિવસમાં દેશમાં 3617 લોકોના જીવ ગયા છે.
22લાખ 28 હજાર 724 એક્ટિવ કેસ
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા આંકડા મુજબ ગત 24 કલાકની અંદર કોરોનાના એક્ટિવ કેસોમાં 1 લાખ 14 હજાર 428નો ઘટાડો નોંધાયો છે. હવે દેશમાં કોરોના વાયરસના 22લાખ 28 હજાર 724 એક્ટિવ કેસ છે. ત્યારે દેશમાં કોરોનાના હાલ કુલ 3,22, 512 દર્દીએ જીવ ગુમાવી ચૂક્યા છે. આ સમયમાં કોરોનાના 2 લાખ 84 હજાર 601 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધી દેશમાં 2 કરોડ 51 લાખ, 78 હજારથી વધારે કોરોનાના દર્દી સાજા થઈ ચૂક્યા છે.
સાજા થનારા દર્દીનો દર 90.80 ટકા પર પહોંચી ગયો
દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીનો દર 90.80 ટકા પર પહોંચી ગયો છે. ત્યારે અઠવાડિયાનો સંક્રમણ દર 9.84 ટકા પર છે. દૈનિક સંક્રમણ દર શુક્રવારે 8.36 ટકા રહ્યો. આ સતત 5મો દિવસ છે કે જ્યારે દૈનિક સંક્રમણ દર 10 ટકાથી નીચે રહ્યો છે.
દેશમાં 20.89 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા
રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીના આંકડા મુજબ દેશમાં 20.89 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે. દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 30, 62, 747 રસી લગાવવામાં આવી છે. ત્યારે કોરોનાના અત્યાર સુધીના કુલ 34.1 કરોડ સેમ્પલ ટેસ્ટ લેવાઈ ચુક્યા છે.