આજે જે કેસો સામે આવ્યા તેને આ વર્ષનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા, છેલ્લા બે દિવસથી સતત 3 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે સામે
ભારતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ ફેલાયુ
આજે જે કેસો સામે આવ્યા તેને આ વર્ષનાં તમામ રેકોર્ડ તોડ્યા
ભારતમાં રવિવારે 3,823 નવા COVID-19 કેસ નોંધાયા
ભારતમાં કોરોના સંક્રમણ હવે જાણે રોકેટ ગતિએ ફેલાઈ રહ્યું હોય દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. આ દરમિયાન હવે આજે જે કેસો સામે આવ્યા તેને આ વર્ષનાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. નોંધનીય છે કે, ભારતમાં રવિવારે 3,823 નવા COVID-19 કેસ નોંધાયા છે, જે શનિવારથી એક દિવસના કેસોમાં 27% ઉછાળો દર્શાવે છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,823 કેસ સામે આવ્યા છે. ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 18,389 થઈ ગઈ છે જ્યારે છેલ્લા 24 કલાકમાં અન્ય ત્રણ મૃત્યુ (ચાર, સમાધાન મૃત્યુ સહિત) નોંધાયા છે. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસથી સતત 3 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સકારાત્મક દર 3 ટકાની નજીક પહોંચી ગયો છે. જ્યારે તબીબી નિષ્ણાતો કહે છે કે છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ -19 ની સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે.
India reports 3,824 new cases of Covid-19 in 24 hours; the active caseload stands at 18,389. pic.twitter.com/i4AOCyHAj3
શનિવારે ભારતમાં નોંધાયા હતા 2,994 કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર શનિવારે ભારતમાં કોવિડ-19ના 2,994 નવા કેસ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કોવિડના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. જ્યારે કોવિડને કારણે 9 દર્દીઓના મોત થયા છે. જેમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબના બે-બે, ગુજરાતના એક અને કેરળના બે દર્દીના મોત થયા છે. આંકડા અનુસાર દૈનિક હકારાત્મકતા દર વધીને 2.09 ટકા અને સાપ્તાહિક હકારાત્મકતા દર 2.03 ટકા થઈ ગયો છે.
ભારતમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી સતત 3 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. નવા કેસોમાં Omicron ના XBB.1.16 વેરિઅન્ટની શક્યતા છે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થવા લાગ્યો છે કે શું તેને રોકવા માટે કોવિડની ચોથી રસી આપવી પડશે?
દેશમાં કોરોના ફરી ચિંતા વધારી રહ્યો છે ત્યારે તબીબી નિષ્ણાતો આ મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાંતોના મતે ભારતમાં કોવિડ-19ને રોકવા માટે રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે. લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે જેથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ શકે. કોવિડને હરાવીને લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે રોગપ્રતિકારક શક્તિ વિશે વાત કરીએ છીએ, ત્યારે તે બે સ્તરે કામ કરે છે. પ્રથમ- તે લોકોને સામાન્ય વાયરસથી બચાવે છે, બીજું- તે ચેપના ગંભીર પરિણામોથી સુરક્ષિત કરે છે.