રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારતીયોની વતન વાપસી ચાલું છે. ઓપરેશન ગંગા અંતર્ગત ભારત સરકાર અત્યાર સુધીમાં 460થી વધારે લોકોને પાછા લાવી છે.
રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહ્યો છે જંગ
ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે અભિયાન ચાલું
સુષ્મા સ્વરાજને યાદ કરી રહ્યા છે લોકો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારતીયોની વતન વાપસી ચાલું છે. ઓપરેશન ગંગા અંતર્ગત ભારત સરકાર અત્યાર સુધીમાં 460થી વધારે લોકોને પાછા લાવી છે. યુક્રેનમાં ફસાયેલા કેટલાય ભારતીય લોકો સોશિયલ મીડિયા મદદ પર આજીજી કરી રહ્યા છે. ત્યારે આવા સમયે લોકો વચ્ચે સુષ્મા સ્વરાજની યાદ તાજી કરી રહ્યા છે. યુક્રેન સંકટ વચ્ચે સોશિયલ મીડિયામાં સુષ્મા સ્વરાજની કમી અનુભવાઈ રહી છે. એક વિદેશ મંત્રી તરીકે સુષ્મા સ્વરાજે કોઈ પણ ભોગે ભારતીયોની મદદ કરતાં. લગભગ બે વર્ષ પહેલા સુષ્મા સ્વરાજે આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.
Even if you are stuck on the Mars, Indian Embassy there will help you. https://t.co/Smg1oXKZXD
લોકોને યાદ છે કે, એક વાર કોઈએ મદદ માગી તો, સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો હતો કે, જો આપ મંગળ ગ્રહ પર ફસાયેલા હશો, તો ત્યાં પણ ભારતીય દૂતાવાસ આપની મદદ કરશે. સુષ્માનું એ મંગળગ્રહવાળુ ટ્વિટ આજે પણ લોકોને યાદ છે. લોકો યુક્રેનથી પાછા ફરી રહેલા ભારતીયોની તસ્વીર શેર કરીને સુષ્મા અને તેમની વાતોને યાદ કર્યા હતા. આ તસ્વીરો પર કઈને લખ્યું છે કે, આ બધું જોઈને સ્વર્ગમાં સુષ્માજી જરૂરથી ખુશ થતાં હશે. અમુકે એવુ પણ કહ્યું કે, સુષ્મા સ્વરાજના સમયે વાત જ કંઈક અલગ હતી. આપને જણાવી દઈએ કે, એર ઈંડિયાની ફ્લાઈટમાં 219 ભારતીયો રોમાનિયાના રસ્તે પાછા આવ્યા છે.
તો વળી એર ઈંડિયાના બીજી ફ્લાઈટ યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈને રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી દિલ્હી આવી પહોંચી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ યુક્રેનથી પાછા આવેલા ભારતીયોને ગુલાબનું ફુલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. ભારતે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને સહીસલામત પાછા લાવવા માટે અભિયાન શરૂ કર્યું છે.