ભારતે આજે અમેરિકન આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) ના રિપોર્ટને ફગાવી દીધો છે અને કહ્યું છે કે અમેરિકાની સરકારની પેનલનું ખોટુ નિવેદન નવા સ્તર પર પહોંચી ગયુ છે. અમેરિકન આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ (USCIRF) દ્વારા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર પોતાનો વાર્ષિક રિપોર્ટ 2020 માં આરોપ લગાવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના મામલાઓમાં ગ્રાફ નીચેની તરફ જઇ રહ્યો છે અને ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલાઓ વધી રહ્યાં છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું છે કે અમે USCIRF ના વાર્ષિક રીપોર્ટમાં ભારત વિરુદ્ધ ટિપ્પણીઓને ફગાવીએ છીએ. ભારત સામેના તેમના આ પૂર્વાગ્રહવાળા અને પક્ષપાતપૂર્ણ નિવેદન નવા નથી, પરંતુ આ સમયે તેમના આ ખોટા નિવેદનો નવા સ્તર પર પહોંચી ગયા છે.
We reject the observations on India in United States Commission on International Religious Freedom (USCIRF) Annual Report. Its biased & tendentious comments against India are not new. But on this occasion, its misrepresentation has reached new levels: Ministry of External Affairs
USCIRF એ ભારત સહિત 14 દેશમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર હુમલા વધ્યાં હોય તેવો આરોપ લગાવ્યો હતો અને અમેરિકામાં વિદેશ વિભાગે આ દેશોને 'વિશેષ ચિંતાવાળા દેશ' જાહેર કરવાનું જણાવ્યું હતું.