ભારત અને ચીનના એ તર્કને ફગાવી દીધો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે 3,488 કિલોમીટર લાંબી વાસ્તિવક નિયંત્રણ રેખા (LAC) પર ફ્રન્ટલાઇન ઇન્ફ્રાસ્ટ્રકચરને અપડેટ કરવું સૈનિકોના તણાવનું કારણ છે. ભારતનું કહેવું છે કે સરહદ પેલી તરફ પીપૂલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા પહેલાથી જ નિર્માણ કરી દેવામાં આવ્યું છે અને રોડ તેમજ કમ્યૂનિકેશન નેટવર્કનું કામ ચાલુ છે.
ભારતે આપ્યાં આ ત્રણ કારણ
હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં અનુસાર પહેલી વાત રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા સોમવારના રોજ ઉદ્ધાટન કરવામાં આવેલ પુલ LACથી દૂર છે જે સિવિલ મૂવમેંટ અને મિલિટ્રી લૉજિસ્ટિક્સ સુવિધા પ્રદાન કરશે. બીજુ ચીને હાલમાં સૈન્ય-કૂટનીતિક ચર્ચામાં ભારત દ્વારા ફ્રન્ટલાઇન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં કરવામાં આવી રહેલા ફેરફારનો મુદ્દો ઉઠાવ્યો નથી.
ત્રીજું, LACની નજીક PLAની રોડ, પુલ, ઓપ્ટિકલ ફાઇબર, સોલર-હીટેડ હટ્સ અને મિસાઇલ તહેનાતી અંગે કહ્યું શું કહેવામાં આવશે? એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત માત્ર LACમાં પોતાની સરહદની નજીક બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરી રહ્યું છે અને તેના માટે અમારે ચીનની મંજૂરી લેવાની જૂરૂરિયાત નથી.
ચીન શું કામ છે આટલું પરેશાન?
સૈન્ય કમાંડરના જણાવ્યાં અનુસાર PLAએ ગોગરા-હૉટ સ્પ્રિંગ્સમાં સિક્યોર્ડ કમ્યૂનિકેશન માટે ઓપ્ટિકલ ફાઇબર લગાવ્યાં છે. આ સાથે જ પેંગોંગ સો ના ઉત્તરી કિનારા પર ફોરવર્ડ પોસ્ટના સૈનિકો માટે રહેવા માટે સોલર હિટેડ કન્ટેનરોનો ઉપયોગ કર્યો છે. આ સાથે જ ત્યાં એક હોસ્પિટલ બનાવી છે જેથી તેમના કોઇ સૈનિકને કાંઇ પણ થાય તો તેઓને મદદ થઇ શકે.
ચીનના મામલાના જાણકારોનું કહેવું છે કે PLA, લદ્દાખમાં ભારતીય ઇન્ફ્રાસ્ટ્રકચને વધારવાને લઇને એટલા માટે ચિંતિત છે કારણ કે આ પાકિસ્તાન માટે અરબો ડોલરના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર અથવા CPEC માટે એક સૈન્ય ખતરો ઉભો કરી શકે છે, જો કે ખુંજેર દર્રા અને પાકિસ્તાથી થઇને પસાર થાય છે.