ભારતે અમેરિકાનાં USTR રિપોર્ટને નકારી કાઢ્યો છે કે જેમાં ભારત એ દુનિયામાં નકલી દવાઓનો મુખ્ય સ્ત્રોત છે. ભારતનું કહેવું એમ છે કે આ જેનરિક દવાઓ પર હુમલો છે અને જે કારણોસર દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ સસ્તી થઇ છે.
ભારતે અમેરિકાનાં એ રિપોર્ટને ફગાવી દીધો છે કે જેમાં કહેવાયું છે કે, 'વિશ્વનો નકલી દવાઓનો મુખ્ય સ્ત્રોત ભારત છે. ભારતે અમેરિકાનાં રિપોર્ટને સસ્તી અને જેનેરિક દવાઓ પર હુમલો ગણાવ્યો છે. યૂનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેજેન્ટિવનાં સ્પેશિયલ 301 રિપોર્ટમાં કહેવાયું છે કે, વિશ્વમાં મળનારી નકલી દવાઓનો મુખ્ય સ્ત્રોત ભારત અને ચીન છે.
રિપોર્ટ મુજબ ભારતમાં મળનારી દવાઓમાં 20 ટકા જેટલી દવાઓ નકલી હોય છે. જો કે અમેરિકાનાં આ રિપોર્ટ પર સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને અસહમતિ વ્યક્ત કરી અને કહ્યું કે, અમે જાણીએ છે કે, તેઓએ મેથોડલોજીનો સહારો લીધો છે અને કેવી રીતે આ નિષ્કર્ષ સુધી પહોંચ્યાં. આ એક પ્રકારે જેનેરિક દવાઓનો વિરોધ છે. ભારતીય દવા ઇન્ડસ્ટ્રી જે વિશ્વનું ફાર્મસી હબ છે.
યૂએસટીઆર રિપોર્ટને અમેરિકા વાર્ષિક રજૂ કરે છે. રિપોર્ટને અમેરિકા પોતાની તે નીતિ અંતર્ગત રજૂ કરે છે કે જેમાં તે દુનિયાનાં બીજા દેશો પર દબાવ બનાવીને પોતાની ફાર્માસ્યૂટિકલ્સ કંપનીઓને તે દેશોમાં પેટેંટ અપાવી શકે જેથી દર્દીઓને સસ્તી દવાઓ ખૂબ જ સરળતાથી મળી શકે.
રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે, 'વિશેષ રૂપથી ભારત અને ચીન દુનિયામાં વેચનારી નકલી દવાઓનો મુખ્ય સ્ત્રોત છે. આનો એક સટીક આંકડો નક્કી કરવો એ અસંભવિત છે. અધ્યયન એવું દર્શાવે છે કે ભારતીય બજારમાં વેચાનારી 20 ટકા દવાઓ નકલી છે કે જે દર્દીનાં સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે એક ગંભીર ખતરો છે.