એક તરફ દેશમાં દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં સતત વધ-ઘટ થઈ રહી છે તો સંભવિત ત્રીજી લહેરના ભણકારા પણ વાગી રહ્યા છે. ત્યારે ગઈકાલ કરતા આજે કોરોનાના કેસ વધતા ફરી ચિંતા વધી છે.
દેશમાં કોરોનાના કેસમાં જોવા મળી રહી છે સતત વઘ-ઘટ
ગઈકાલ કરતા આજે જોવા મળ્યો 36 ટકાનો ઉછાળો
ગત 24 કલાક દરમિયાન નોંધાયા 38,353 નવા કેસ
ગઈકાલની સરખામણીએ દેશમાં ગત 24 કલાક દરમિયાન 38,353 નવા કેસ નોંધાયા છે જ્યારે 497 લોકોના મોત થયાં છે. આમ ગઈકાલ કરતા આજે કોરોનાના કેસ અને કોરોનાથી થતાં મોતના આંકડામાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો છે જે ખરેખર ચિંતાનો વિષય છે.
51,90,80,524 લોકોનું થયું રસીકરણ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 3,86,351 એક્ટિવ કેસ છે તો સાજા થવાનો દર 97.45% પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 3,12,20,981 લોકો કોરોનાથી મુક્ત થયાં છે. દેશમાં એક તરફ કોરોનાના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો 41,38,646 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 51,90,80,524 લોકોનું રસીકરણ થયું છે.
India reports 38,353 new cases in last 24 hours; Active caseload currently 3,86,351; lowest in 140 days. Recovery rate rises to 97.45% : Ministry of Health and Family Welfare pic.twitter.com/BNbnhm78JJ
ગઈકાલે સમગ્ર દેશમાં કોરોનાના 28,204 નવા કેસ નોંધાયા હતા. જે 147 દિવસ બાદ પ્રથમ વખત ઓછા કેસ હતા. સાથે જ કુલ કેસનો આંકડો વધીને 3,19,98,158 થયો હતો. તો કોરોનાથી 373 લોકોના મોત થયાં હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે, મંગળવારે રાજ્યમાં 5,609 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જેમાં 137 લોકોના કોરોનાથી મૃત્યુ થયાં હતા. જેમાં સૌથી વધુ મોત 47 લોકોના થયાં હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ મુક્ત થવાનો દર 96.8 ટકા છે જ્યારે મૃત્યુદર 2.01 ટકા છે.
2 રસીના મિશ્રણની આપી મંજૂરી
હવે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ પણ કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીના મિક્સિંગ પરના અભ્યાસ માટે તેની મંજૂરી આપી દીધી છે. ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોરને આ અભ્યાસ અને ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવાની જવાબદારી મળી છે.
IV ના તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી મળી
ઈન્ડિયા ટુડેના સમાચાર અનુસાર, કેન્દ્રીય દવા નિયમનકારની વિષય નિષ્ણાત સમિતિએ 29 જુલાઈએ જ આ અભ્યાસ હાથ ધરવાનું સૂચન કર્યું હતું. બેઠક દરમિયાન, નિષ્ણાત સમિતિએ CMC, વેલ્લોરને IV ના તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવા સૂચન કર્યું હતું. આ ટ્રાયલમાં, 300 સ્વસ્થ સ્વયંસેવકો પર કોવિડ -19 ની કોવેક્સિન અને કોવિડશીલ્ડ રસીના મિક્સિંગની અસરોનું પરીક્ષણ કરવામાં આવશે.
આફ્રિકી દેશમાં ફેલાયો છે નવો ઘાતક વાયરસ
આફ્રિકી દેશ ગિનીમાં કોરોના કરતા પણ ઘાતક અને ઈબોલા જેવા મારબર્ગ વાયરસે દેખા દેતા દુનિયાભરમાં ફફડાટ વ્યાપ્યો છે. ગિનીના Gueckedou પ્રાંતમાં આ બીમારીને કારણે પહેલું મોત થયું છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગિનિમાં કોરોના કરતા ઘાતક મારબર્ગ વાયરસનો પહેલો કેસ નોંધાયો હોવાની પુષ્ટિ કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું માનવું છે કે મારબર્ગ કોરોનાની જેમ જ જાનવરોમાંથી માણસોમાં ફેલાયો છે.