શાંઘાઈ સહયોગ સંગઠન(SCO)ની સોમવારે બેઠક થઈ. આ બેઠકમાં ચીનની મહત્વકાક્ષી વન બેલ્ટ, વન રોડ (OBOR) પરિયોજના ભારતે ફરી વિરોધ કર્યો. ભારત અનેક વાર ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારે (CPEC)ને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરતું રહ્યું છે જે OBOR પરિયોજનાનો ભાગ છે અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરથી પસાર થાય છે. જો કે સંગઠનમાં સામિલ અન્ય દેશોએ પરિયોજનાને સમર્થન આપ્યું છે.
ચીનની વન બેલ્ટ, વન રોડની પહેલને પોતાનું સમર્થન આપ્યુ
આ પ્રકારનું વલણ SCOના સિદ્ધાંત અને વિચારોની વિરુદ્ધ
ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પક્ષ રજુ કર્યો
ચીનની વન બેલ્ટ, વન રોડની પહેલને પોતાનું સમર્થન આપ્યુ
એસસીઓ શાસનાધ્યક્ષોની પરિષદમાં 19મી બેઠકના સમાપન પર જારી એક સંયુક્ત વિજ્ઞાપ્તિમાં કહેવામા આવ્યું છે કે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રુસ, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાને ચીનની વન બેલ્ટ, વન રોડની પહેલને પોતાનું સમર્થન આપ્યુ છે.
ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પક્ષ રજુ કર્યો
આ બેઠકમાં રશિયા, ચીન કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના પ્રધાનમંત્રીઓએ ભાગ લીધો જ્યારે પાકિસ્તાનના પ્રતિનિધિત્વ વિદેશ મામલાના સંસદીય સચિવે કર્યો. ભારત તરફથી ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ પક્ષ રજુ કર્યો.
આ પ્રકારનું વલણ SCOના સિદ્ધાંત અને વિચારોની વિરુદ્ધ
ચીનનું નામ લીધા વગર ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે વ્યાપાર નિષ્પક્ષ હોવા માટે તમામ સભ્યોએ પારદર્શિ હોવું જોઈએ. વેંક્યા નાયડુએ પાકિસ્તાનની કરતૂતનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે ભારત અનેક જગ્યાએ ઉછરી રહેલ આતંકવાદથી ચિંતિત છે. આતંકવાદને એક સરકારી નીતિઓ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું વલણ SCOના સિદ્ધાંત અને વિચારોની વિરુદ્ધ છે.