ભારતમાં કોરોનાની બીજી લહેર ધીરે ધીરે કંટ્રોલમાં આવી રહી છે. દેશમાં 24 કલાકમાં 1.01 લાખ નવા કેસ નોંધાયા છે તો સાથે જ 2445 દર્દીના મોત નીપજ્યા છે.
ભારતમાં કોરોનાનું ઘટતું સંક્રમણ
એક દિવસના કેસ ઘટ્યા, મૃત્યુઆંક પણ ઘટ્યો
દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 14 લાખની નીચે
ભારતમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. નવા કેસનો ગ્રાફ પણ ઘટતો જોવા મળ્યો છે. એક દિવસમાં ભારતમાં કોરોનાના 1 લાખ 1 હજાર 159 નવા કેસ નોંઘાયા છે તો સાથે જ 2445 દર્દીના મોત થયા છે. રવિવારે દેશમાં 24 કલાકમાં 1.14 લાખ નવા કેસ આવ્યા હતા અને 2677 સંક્રમિતના મોત નીપજ્યા હતા.
भारत में कल कोरोना वायरस के लिए 15,87,589 सैंपल टेस्ट किए गए, कल तक कुल 36,63,34,111 सैंपल टेस्ट किए जा चुके हैं: भारतीय चिकित्सा अनुसंधान परिषद (ICMR) #COVID19
2 મહિના બાદ આવ્યા સૌથી ઓછા નવા કોરોનાના કેસ
દેશમાં 2 મહિના બાદ કોરોના વાયરસના કેસ ઘટ્યા છે. આ પહેલા 5 એપ્રિલે સૌથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં 96982 નવા કેસ આવ્યા હતા. આ પછી આજે સૌથી ઓછા નવા કેસ આવતા રાહત મળી રહી છે.
2.89 કરોડ પહોંચી સંક્રમિતોની કુલ સંખ્યા
વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 1 હજાર 159 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને સાથે જ 2445 દર્દીના મૃત્યુ થયા છે. આ પછી ભારતમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 89 લાખ 604 થઈ છે. જ્યારે 3 લાખ 49 હજાર 229 લોકોના મૃત્યુ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
14 લાખની નજીક પહોંચ્યા છે કોરોનાના એક્ટિવ કેસ
ભારતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો થવાની સાથે સાથે હવે સતત 25મા દિવસે નવા કેસ કરતા રિકવર દર્દીની સંખ્યા વધી હોવાનું જોવા મળી રહ્યું છે. આ સાથે એક દિવસમાં દેશમાં કોરોનાથી મૃત્યુઆંક પણ ઘટ્યો છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 13 લાખ 98 હજાર 64 જોવા મળી રહ્યા છે. તો દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 2 કરોડ 71 લાખ 50 હજાર 727 પહોંચી છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખ 49 હજાર 229 થયો છે.
महाराष्ट्र में पिछले 24 घंटे में #COVID19 के 12,557 नए मामले सामने आए हैं। इस दौरान 14,433 लोग डिस्चार्ज हुए और 233 लोगों की मृत्यु दर्ज़ की गई। राज्य में रिकवरी दर 95.05% है। pic.twitter.com/risoadgvsp
મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતનો આંક 1 લાખને પાર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે થનારા મૃત્યુની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે. અત્યાર સુધી કોરોનાથી થતા મોતની સંખ્યા 100130 થઈ છે. સ્વાસ્થ્ય વિભાગની તરફથી જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યામાં 12557 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ સમયમાં 14433 દર્દીઓ રિકવર થઈને ડિસ્ચાર્જ મેળવી ચૂક્યા છે. આ પછી કુલ રિકવરી મેળવી ચૂકેલા દર્દીની સંખ્યા 5543267 થઈ છે. રાજ્યમાં રિકવરી રેટ 95.05 ટકા થયો છે અને સાથે મૃત્યુ દર 1.72 ટકા છે. રાજ્યમાં એક્ટિવ દર્દીની સંખ્યા 185527 છે.