રવિવાર સુધીમાં, ભારતમાં કોવિડ 19 ના 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે 5 અન્ય મોટા દેશોની તુલના કરીએ કે જેમણે ભારતની જેમ 10 લાખ પરીક્ષણ કર્યાં છે, તો આપણા દેશની સ્થિતિ વધુ સારી જણાય છે કારણ કે 10 લાખમાંથી ભારતમાં 39980 પોઝિટિવ કેસ આવ્યા છે જયારે સ્પેન જેવા દેશમાં 10 લાખમાંથી તોતિંગ 2 લાખ લોકો પોઝિટિવ આવ્યા હતા.
અમેરિકાએ પણ જયારે 10 લાખ પરીક્ષણો કર્યા હતા ત્યારે ત્યાં ચેપના 1,64,620 કેસ આવ્યા હતા
ભારતમાં કોરોનાથી મૃત્યુદર દક્ષિણ કોરિયા, ચીન, રશિયા અને અમેરિકાથી ઓછો
દેશ વિદેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના કેસ રવિવારે ભારતમાં 40 હજારની નજીક પહોંચી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1301 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં લોકડાઉન એ કોરોના વાયરસ ચેપના ફેલાવાને રોકવા માટેના ખૂબ અસરકારક રસ્તા તરીકે જોવામાં આવે છે. લોકડાઉનને કારણે જ કદાચ અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછા કેસ છે.
રવિવાર સુધીમાં, ભારત કોવિડ 19 (કોવિડ 19 ટેસ્ટ્સ) ના 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો આપણે 5 અન્ય મોટા દેશોની તુલના કરીએ કે જેમણે ભારતની જેમ 10 લાખ પરીક્ષણ કર્યાં છે, તો આપણા દેશની સ્થિતિ વધુ સારી જણાય છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષ વર્ધનના જણાવ્યા મુજબ દેશમાં મૃત્યુ દર પણ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. જે 3.2 ટકા છે.
અન્ય દેશો કરતા સારા આંકડા
ભારત સિવાય 5 અન્ય દેશોએ કોવિડ 19 ના 10 લાખથી વધુ પરીક્ષણો કર્યા છે જે દેશોમાં ભારતના ચેપ આંકડા કરતા ઘણા વધુ કેસો છે. ભારતમાં 39,980 કેસ છે. અમેરિકાએ પણ જયારે 10 લાખ પરીક્ષણો કર્યા હતા ત્યારે ત્યાં ચેપના 1,64,620 કેસ આવ્યા હતા. તે જ સમયે જર્મનીમાં 73,522 કેસ નોંધાયા હતા. સ્પેનમાં 2,00,194 કેસ નોંધાયા હતા. તુર્કીમાં 1,17,589 કેસ નોંધાયા હતા. તે જ સમયે, ઇટાલીમાં 1,52,271 કેસ નોંધાયા હતા. આ સંદર્ભમાં, ભારતની પરિસ્થિતિ સારી જણાય છે. નોંધનીય છે કે વખત જતા આ દેશોમાં કોરોનાના કેસની સંખ્યા ઘણી વધી ગઈ છે પરંતુ આ આંકડા પરથી લાગી રહ્યું છે કે ભારત સંક્રમણ રોકવામાં સફળ જઈ રહ્યું છે.
ભારતમાં મૃત્યુ દર અન્ય દેશોની સરખામણીમાં ઓછો
ભારત માટે એક સારા સમાચાર છે કે મૃત્યુદરની દ્રષ્ટિએ દેશની સ્થિતિ અન્ય દેશો કરતા વધુ સારી છે. આ સ્થિતિમાં ભારતે દક્ષિણ કોરિયા, ચીન, રશિયા અને અમેરિકાને પાછળ છોડી દીધું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ દર માત્ર 3.2 ટકા છે. એટલે કે, કોરોનાથી સંક્રમિત સોમાંથી 4 કરતા ઓછા લોકો મરી રહ્યા છે. જો આ આંકડા વસ્તીના આધારે જોવામાં આવે તો દર એક લાખ લોકોમાં ફક્ત 0.09 લોકો જ મરી રહ્યા છે.