ભારતમાં મંકિપોક્સથી પહેલું મોત થયું છે કેરળમાં યુએઈથી આવેલા 22 વર્ષીય યુવાનનું મોત થતા ચિંતા વધી છે.
ભારતમાં મંકિપોક્સથી પહેલા મોતની પુષ્ટિ
કેરળમાં 22 વર્ષીય યુવાનનું મોત
30 જુલાઈએ કેરળમાં યુવાનનું થયું હતું મોત
યુવાન યુએઈમાંથી પોઝિટીવ થઈને આવ્યો હતો
કેરળના હેલ્થ મિનિસ્ટર વીણા જ્યોર્જે કરી પુષ્ટિ
મંકિપોક્સથી ભારતમાં મોતની પહેલી ઘટના બનતા ચિંતા વધી છે. યુએઈથી કેરળ આવેલા 22 વર્ષીય યુવાનનું મંકિપોક્સને કારણે 30 જુલાઈએ મોત થયું હોવાની પુષ્ટિ કેરળના હેલ્થ મિનિસ્ટર વીણા જ્યોર્જે કહ્યું કે 22 જુલાઈએ એક યુવાન યુએઈથી આવ્યો હતો તે તેના પરિવાર સાથે હતો 26 જુલાઈએ તેને તાવ આવ્યો હતો અને 27 જુલાઈના રોજ તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં તેની તબિયત વધારે ખરાબ થતા તેને વેન્ટીલેટર પર રખાયો હતો. 19 જુલાઈએ યુએઈમાં તેનો મંકિપોક્સનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો અને હવે તેના ટેસ્ટ રિઝલ્ટ પોઝિટીવ આવ્યાં છે.
A young boy returned from UAE on July 22, he was with his family when on July 26 he developed a fever & was admitted on July 27. On July 28 he was moved to a ventilator. He got tested on July 19 for monkeypox in UAE, the result of which was positive:Kerala Health min Veena George pic.twitter.com/43VGAtkoB5
The person died on July 30. Health dept teams went there, samples sent to NIV, test results show he was monkeypox positive. Team constituted, genomic sequencing being done at NIV: Kerala Health min Veena George pic.twitter.com/BOUk3iezfY
30 જુલાઈએ યુવાનનું મોત થયું
વીણા જ્યોર્જે કહ્યું કે 30 જુલાઈએ યુવાનનું મોત થયું હતું. હેલ્થ વિભાગની ટીમ ત્યાં ગઈ હતી અને સેમ્પલ લઈને એનઆઈવીને મોકલી દેવાયા હતા. ટેસ્ટના રિઝલ્ટમાં તે મંકિપોક્સ પોઝિટીવ હોવાનું જણાવાયું હતું. આ પછી એક ટીમની રચના કરવામાં આવી છે અને હાલમાં એનઆઈવી ખાતે જિનોમિક સિકવન્સીંગ ચાલી રહ્યું છે.
દેશમાં મંકિપોક્સના પાંચ કેસ
ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં મંકિપોક્સના પાંચ કેસ છે જેને લઈને સરકાર ચિંતિત છે. 14 જુલાઈએ કેરળમાં મંકીપોક્સનો પહેલો કેસ સામે આવ્યો હતો. ચાર દિવસ બાદ એટલે કે 18 જુલાઈએ બીજા કેસની પુષ્ટિ થઈ હતી અને ત્યાર બાદ 22 જુલાઈએ ત્રીજો કેસ સામે આવ્યો હતો. ત્રણેય દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નોંધાઈ હતી. ત્રણેય દર્દીઓ યુએઈથી પાછા ફર્યા હતા અને ત્યાં ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ પણ બે દર્દીઓ નોંધાયા હતા.
મંકિપોક્સ પર નજર રાખવા ટાસ્ક ફોર્સની રચના
કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સનો દુનિયાભરમાં પગપેસાર થઈ રહ્યો છે. દુનિયાભરમાં 70થી વધારે દેશોની સાથે ભારતમાં પણ મંકીપોક્સે એન્ટ્રી મારી છે. અત્યાર સુધીમાં દેશમાં મંકીપોક્સના 4 દર્દી મળી આવ્યા છે, તો વળી કેરલમાં મંકીપોક્સના એક શંકાસ્પદ શખ્સનું મોત પણ થઈ ગયું છે. જે બાદ કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારે મંકીપો્ક્સને લઈને મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે મંકીપોક્સ સંક્રમણ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટાસ્ક ફોર્સનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ કરશે.
સજાતિય સંબંધોથી ફેલાય છે મંકિપોક્સ
મંકિપોક્સ વાયરસ સજાતિય સંબંધોથી ફેલાતો હોવાનું પણ વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ જણાવ્યું છે.