દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 7240 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે.
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો
છેલ્લા 24 કલાકમાં 7240 નવા કેસ નોંધાયા
જ્યારે કોરોનાને કારણે 8 લોકોના મોત થયા
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 7240 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે. ઝડપથી વધી રહેલા કોરોના કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 9, 2022
1લી માર્ચ પછી આટલા બધા કેસ નોંધાયા
તમને જણાવી દઈએ કે 1 માર્ચ પછી કોરોનાના આટલા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 2,701 કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં ચાર મહિના પછી કોરોનાના આટલા કેસો સામે આવ્યા છે.
કોરોના કેસો વધાતાં સરકાર દેશના 28 જિલ્લાઓને રેડ ઝોનમાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હિમાચલ પ્રદેશથી લઈને કેરળ સુધીના દેશના 28 જિલ્લાઓને ચેપના વધારાને કારણે રેડ ઝોન તરીકે જાહેર કર્યા છે. તેમાં હરિયાણા અને મહારાષ્ટ્રના તે ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે, જ્યાં સાપ્તાહિક ચેપ પાંચ ટકાથી વધુ હતો. બુધવારે રાજ્યો સાથેની બેઠકમાં આરોગ્ય મંત્રાલયે અસરગ્રસ્ત રાજ્યોને જમીની સ્તરે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.
અરુણાચલ પ્રદેશ સહિત સાત રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે
અરુણાચલ પ્રદેશમાં દેશમાં સૌથી વધુ 21.43 ટકાનો વધારો નોંધાયો છે. દેશના કેટલાક ભાગોમાં ચેપના કેસ વધી રહ્યા છે. એક જ દિવસમાં 40%નો ઉછાળોઃ એક દિવસમાં લગભગ 40 ટકાના ઉછાળા સાથે બુધવારે દેશમાં 5233 નવા કોરોના દર્દીઓ સામે આવ્યા. સક્રિય દર્દીઓની સંખ્યા 28,857 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3345 લોકો કોરોનાથી સાજા થયા છે. સાત લોકોના મોત થયા છે. જ્યારે એક દિવસ અગાઉ 7 જૂને 3741 કેસ નોંધાયા હતા.