નવા કેસોની સંખ્યા આજે 30 હજારની નીચે આવી છે. 132 દિવસમાં આવેલા આ સૌથી ઓછા નવા મામલા છે.
ગત 24 કલાકમાં 29,689 નવા કેસ
132 દિવસમાં આવેલા આ સૌથી ઓછા નવા મામલા
24 કલાકમાં 415 કોરોના સંક્રમિત દર્દીઓના મોત
ગત 24 કલાકમાં 29,689 નવા કેસ
દેશમાં કોરોના વાયરસના નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસોની સંખ્યા આજે 30 હજારની નીચે આવી છે. જે રાહતની વાત છે. આની પહેલા રોજના 30થી 40 હજારની આસપાસ મામલા આવી રહ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે જારી આંકડા મુજબ દેશમાં ગત 24 કલાકમાં 29,689 નવા કેસ નોંધાયા છે. ગત 132 દિવસમાં આવેલા આ સૌથી ઓછા નવા મામલા છે. આજના કેસની સરખામણીએ લગભગ 25 ટકા મામલા ઓછા છે. સોમવારે 39 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા હતા.
24 કલાકમાં 415 કોરોના સંક્રમિત દર્દીઓના મોત
ગત 24 કલાક દરમિયાન 415 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. દેશમાં અત્યાર સુધી 4, 21, 382 લોકો ખતરનાક વાયરસના કારણે જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 3, 06,21, 469 લોકો સાજા થયા છે. હાલમાં રિકવરી રેટ વધીને 97.39 ટકા પર છે.
24 કલાક દરમિયાન 42, 363 દર્દી સાજા થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ગત 24 કલાક દરમિયાન 42, 363 દર્દી સાજા થયા છે. ગત 24 કલાકમાં નવા મામલાની સરખામણી વાળા દર્દીઓની સંખ્યા વધારે રહેવાથી એક્ટિવ કેસની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં એક્ટિવ કેસ 124 દિવસ બાદ ચાર લાખની નીચે (3,98,100) આવી ગયા છે. જે કુલ મામલાના 1.27 ટકા છે. સંક્રમણ દરની વાત કરીએ તો અઠવાડિયામાં પોઝિટિવિટી રેટ 2.33 ટકા છે દૈનિક સંક્રમણ દર 5 ટકાની નીચે 1.73 ટકા છે.
રસીકરણની આ છે સ્થિતિ
ગત 24 કલાકમાં લોકોને રસીના 66, 03,112 ડોઝ આપવામાં આવ્યા છે. 21 જૂન બાદ દેશમાં 24 કલાકમાં આ સૌથી વધારે રસીકરણના આંકડા છે. અત્યાર સુધીમા કુલ રસીકરણ 44, 19, 12, 395 છે. ટેસ્ટિંગની વાત કરીએ તો આ વધીને 45. 91 કરોડને પાર પહોંચી ગયા છે.