ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી બન્યું છે. 24 કલાકમાં દેશમાં 1.26 લાખ કોરોના કેસ આવતા હાહાકાર મચ્યો છે. જાણો ક્યાં કેવી છે સ્થિતિ.
દેશમાં વધ્યું કોરોના સંક્રમણ
એક દિવસમાં 1.26 લાખથી વધુ કેસ આવ્યા
દેશમાં કુલ 1.29 કરોડ કોરોના કેસ નોંધાયા
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર વિકરાળ બનતો જોવા મળી રહ્યો છે. બુધવારે એક દિવસમાં કોરોનાના કેસે તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ દિવસે સૌથી વધારે કેસ સાથે 1.25 લાખનો આંક પાર થયો છે. મહામારીની શરૂઆતથી જ આવું પહેલીવાર થયું છે કે જ્યારે એક જ દિવસમાં 1 લાખ 26 હજારથી વધારે નવા કેસ આવ્યા હોય. બુધવારે સતત બીજા દિવસે કોરોનાના સૌથી વધારે કેસ આવ્યા છે. મંગળવારે જ્યાં 1 લાખ 15 હજારથઈ વધારે કેસ આવ્યા તો બુધવારે આ આંક વધુ નવો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. કોરોનાના વધતા કહેરને લઈને અનેક પાબંધીઓ આવી છે અને ક્યાંક લોકડાઉન તો ક્યાંક નાઈટ કર્ફ્યૂ પણ લાગૂ કરાયો છે.
कोविड के बढ़ते हुए संक्रमण के चलते रायपुर जिला अंतर्गत संपूर्ण क्षेत्र को 9 अप्रैल शाम 6 बजे से 19 अप्रैल सुबह 6 बजे तक कंटेनमेंट जोन घोषित किया जाता है। इस दौरान रायपुर जिले की सभी सीमाएं बंद रहेंगी: रायपुर जिलाधिकारी एस. भारतीदासन pic.twitter.com/t74mrwqFay
આજે અને આવતીકાલથી અહીં લાગૂ થશે નાઈટ કર્ફ્યૂ
મંગળવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. તો પંજાબ સરકારે રાજ્યવ્યાપી નાઈટ કર્ફ્યૂને 30 એપ્રિલ સુધી વધાર્યો છે. એટલું જ નહીં બેંગલુરુએ શહેરના સ્વીમીંગ પૂલ અને જિમ સેન્ટરને પણ બંધ કર્યા છે. આ સિવાય આજે ગુરુવારથી યૂપીની રાજધાની લખનઉ, કાનપુર સહિત અનેક શહેરોમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે.
छत्तीसगढ़: राज्य में बढ़ते कोरोना के मामलों के देखते हुए ध्रुव में संपूर्ण लॉकडाउन लागू किया गया है।
अतिरिक्त पुलिस अधीक्षक ने बताया, "लॉकडाउन 6 अप्रैल से 14 अप्रैल तक रहेगा। पुलिस जगह-जगह पर पेट्रोलिंग करेगी। नियमों का उल्लंघन करने पर कार्रवाई होगी।" #COVID19pic.twitter.com/JBwF9PrvL5
બીજી લહેરનો પીક
દેશમાં કોરોનાની બીજી લહેરે પહેલી લહેરના પીકને પાર કરી લીધો છે. સપ્ટેમ્બર 2020માં 93 હજાર કેસ આવતા તો દેશમાં લગભગ 1000761 નવા કેસ રોજ આવી રહ્યા છે. એટલે કે સ્પષ્ટ છે કે બીજી લહેર પોતાના પીકની તરફ આગળ વધી રહી છે.
कर्नाटक, राजस्थान और गुजरात में टेस्टिंग की गुणवत्ता में सुधार करने की आवश्यकता है। पंजाब में मृत्यु दर में गिरावट के लिए घातक मामलों को चिन्हित करके जल्द अस्पताल में भर्ती कराने की जरूरत है: केंद्रीय स्वास्थ्य मंत्री #COVID19
ક્યાં છે કર્ફ્યૂ અને શું છે પાબંધીઓ
મુંબઈ અને ચંડીગઢ બાદ મંગળવારે દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરાઈ છે. દિલ્હીમાં 30 એપ્રિલ સુધી પાબંધીઓ લાગૂ કરાઈ છે. કોરોનાના કારણે સૌથી વધારે સ્થિતિ મહારાષ્ટ્રમાં વણસી છે. જ્યાં ભારતના કુલ કોરોના કેસમાં અડધાથી વધારે આ રાજ્યના છે. આ કારણ છે કે મહારાષ્ટ્રના અનેક શહેરોમાં પ્રશાસને નાઈટ કર્ફ્યૂથી લઈને વીકેન્ડ લોકડાઉન પણ લગાવ્યું છે. આ સિવાય રાજસ્થાન અને ગુજરાતમાં પણ સરકારે નાઈટ કર્ફ્યૂ જાહેર કર્યો છે.
गुजरात में पिछले 24 घंटों में #COVID19 के 3,575 नए मामले सामने आए हैं। 2,217 लोग डिस्चार्ज हुए और 22 लोगों की मृत्यु दर्ज़ की गई।
જાણો હોટસ્પોટ બની રહેલા રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્ર બાદ છત્તીસગઢ ભારતનું બીજું હોટસ્પોટ બનીને સામે આવી રહ્યું છે. અહીં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. આ કારણ છે કે રાયપુર જિલ્લામાં 11 દિવસનું લોકડાઉન લગાવાયું છે. રાયપુરમાં મંગળવારે 76000થી વધારે કેસ આવ્યા છે અને 1000થી વધારે લોકોના મોત થયા છે. છેલ્લા 6 દિવસમાં રાયપુરમાં 10000થી વધારે કેસ આવ્યા છે અને 93 લોકોના મોત થયા છે.
महाराष्ट्र में पिछले 24 घंटों में 59,907 नए #COVID19 मामले, 30,296 रिकवरी और 322 मौतें दर्ज़ की गई।
कुल मामले: 31,73,261
सक्रिय मामले: 5,01,559
कुल रिकवरी: 26,13,627
मृत्यु: 56,652 pic.twitter.com/pogGXN5PWy
કેન્દ્ર સરકારે આપી ચેતવણી
ભારતમાં વધતા કોરોનાના કેસની વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે આવનારા 4 અઠવાડિયા ખૂબ જ મહત્વના છે. લોકોએ મહામારીની બીજી લહેરની સરખામણી કરવામાં સહયોગ આપવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે લાગી રહ્યું છે કે લોકોએ માસ્ક લગાવવા જેવી વાતને નકારી કાઢી છે.