ભારતે મ્યાંમારમાં ચીનને કાઉન્ટર કરવા માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ભારતે મ્યાંમારમાં 6 અરબ ડૉલરની પેટ્રોલિયમ રિફાઇનરી બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. ચીન ભારતના પાડોશી દેશોમાં રોકાણ દ્વારા જ પોતાના પકડ મજબૂત કરે છે અને પછી તેને પોતાના રાજકીય ઉપયોગમાં લે છે.
ભારતે વધુ એક પાડોશી દેશમાં ઉઠાવ્યું મોટું કદમ
'ભારત નથી ઇચ્છતું કે મ્યાંમાર ચીનના પક્ષમાં ચાલ્યું જાય'
ઇન્ડિયન ઑયલ કૉર્પ્સે આ પરિયોજનાને લઇને રસ દાખવ્યો
ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા મ્યાંમારના બે દિવસના પ્રવાસે હતા. આ પ્રવાસે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં કેટલાક મહત્વના કરાર થયા.
એક સૂત્રએ ખાનગી ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ભારત નથી ઇચ્છતું કે પાડોશી દેશ મ્યાંમાર સમગ્ર રીતે ચીનના પક્ષમાં ચાલ્યું જાય. આ પરિયોજના બન્ને દેશો માટે ફાયદાકારક હશે. ઇન્ડિયન ઑયલ કૉર્પ્સે આ પરિયોજનાને લઇને રસ દાખવ્યો છે.
ભારત મ્યાંમારને કોરોના વાયરસ મહામારીથી લડાઈમાં મદદ કરવા પોતાના વચનને પણ નિભાવી રહ્યું છે. જે હેઠળ, ભારત મ્યાંમારે 3000 વાયલ્સ રેમડેસવિર દવા ઉપલબ્ધ કરાવશે. આ સિવાય, ભારત મ્યાંમારથી 31 માર્ચ સુધી દોઢ લાખ ટન અડદની પણ આયાત કરશે. મ્યાંમાર અમે તેનાથી જોડાયેલ ભારતીય રાજ્ય મિઝોરમની બોર્ડર હાટ બ્રિઝ બનાવવા માટે 2 મિલિયન ડૉલર ફાળવવામાં આવ્યા છે.
ભારતે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે મ્યાંમારમાં ચીનનો પ્રભાવ વધી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે મ્યાંમારનો પ્રવાસ કર્યો હતો અને આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે કેટલાક મહત્વના કરાર થયા હતા. આ પ્રવાસમાં મ્યાંમારમાં કયાઉફાયુ વિશેષ આર્થિક ઝોન સ્થાપિત કરવાને લઇને કરાર થયા. ચીનની બેલ્ટ એન્ડ રોડ પરિયોજના હેઠળ 1700 કિલોમીટર વિસ્તારમાં ચાઇના-મ્યાંમાર ઇકોનૉમિક કૉરિડોર પણ બનાવવામાં આવશે. આ સિવાય ચીને મ્યાંમાર સાથે ઑયલ, ગેસ પાઇપલાઇન, રોડ અને રેલ સહિત કેટલાક પરિયોજનાઓને લઇને કરાર થયા.
ભારતના પૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે કહ્યું કે, ભારતે મ્યાંમારમાં રિફાઇનરી બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ બહુ જ રણનીતિક પરિયોજના છે, જેનાથી મ્યાંમારની ચીનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભરતા ઓછી થશે. ભારત માત્ર એક્ટ ઈસ્ટનો નારો આપીને ચીનનો મુકાબલો ન કરી શકે. મ્યાંમારમાં પોતાનો પ્રભાવ વધારવા માટે રોકાણ કરવું જરૂરી છે.