એક તરફ પાવર પ્લાન્ટ્સમાં કોલસાની અછતથી જોડાયેલા રિપોર્ટ્સ આવી રહ્યા છે. બીજી તરફ કેન્દ્રીય ઉર્જામંત્રીએ જુઓ શું કહ્યું...
કોલસાની કમીથીદેશમાં વીજળી સંકટ આવવાની શક્યતા
કેન્દ્રીય ઉર્જા મંત્રીએ કહ્યું- આધારવિહીન છે આવી વાતો
આરકે સિંહે કહ્યું- અમારી પાસે 4 દિવસનો સ્ટૉક છે
દેશમાં કોલસાનું સંકટ ચાલી રહ્યું છે. વધુ પડતા વીજળી ઘરોમાં હવે 4 દિવસથી પણ ઓછા સમયનો સ્ટૉક બચ્યો છે. આ વચ્ચે રવિવારે ઉર્જા મંત્રી આરકે સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાર પર ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
આરકે સિંહે દાવો કર્યો કે, વીજળીનું કોઈ સંકટ નથી અને કોલસાનો પૂરતો સ્ટૉક છે.
આરકે સિંહે કહ્યું કે, કાલે સાંજે દિલ્હીના ઉપરાજ્યપાલે સંભવિત વીજળી સંકટને લઇને મુખ્યમંત્રીને લખેલા પત્રને લઇને મને વાત કરી. મેં તેમને જણાવ્યું કે અમારા અધિકારીઓ પરિસ્થિતિઓ પર નજર રાખી રહ્યા છે અને એવું નહીં થાય.
GAILના મેસેજથી થયું કન્ફ્યૂઝન
તેમણે કહ્યું કે, આજ મેં BSIS, NTPC અને વીજળી મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી. હું તમને જણાવી રહ્યો છું કે, કોઈ સમસ્યા નથી. સમસ્યા એટલા માટે શરૂ થઇ કારણ કે ગેલ(GAIL)એ દિલ્હી ડિસ્કૉમને ગેસની જરૂરિયાત રોકવાની વાત કહી હતી અને એઠલા માટે કારણ કે ગેલ અને દિલ્હી ડિસ્કૉમનું એગ્રીમેન્ટ પૂર્ણ થઇ રહ્યું છે.
અમે CEOને ચેતવણી આપી છે કે જો હવે આવો કોઇ મેસેજ મોકલશો તો થશે કાર્યવાહીઃ આરકે સિંહ
તેમણે કહ્યું કે, જોકે અમે ગેલના CMD સાથે વાત કરી છે અને તેમણે મને ભરોસો અપાવ્યો છે કે ગેસની જરૂરિયાતમાં અછત નહીં થાય. તેમણે કહ્યું કે, આ સંકટ હતું નહીં, સંકટ થશે નહીં. આ સંકટ કારણ વગર ઉભુ કરાયું. ટાટા પૉવરે સંભવિત વીજળી કાપને લઇને મેસેજ આપ્યો. અમે CEOને ચેતવણી આપી છે કે જો હવે આવો કોઇ મેસેજ મોકલવામાં આવે છે જેનાથી લોકોમાં ડર ઉભો થાય, તો પછી કાર્યવાહી કરવામાં આવશે.
17 દિવસના સ્ટૉકથી 4 દિવસના સ્ટૉક પર આવ્યા, તે હવે ફરીથી વધશેઃ આરકે સિંહ
આરકે સિંહે વધુમાં કહ્યું કે, દરરોજ અમારા અધિકારી કોલસાના સ્ટૉકની દેખરેખ કરી રહ્યા છે. આજના દિવસે અંદાજિત 4 દિવસથી વધુનો સ્ટૉક અમારી પાસે છે. કાલે 1.8 મિલિયન ટનની ખપત થઇ, એટલો સ્ટૉક મળ્યો. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, જે 17 દિવસ સ્ટૉકથી 4 દિવસ આવી ગયા હતા, તે હવે ફરીથી વધશે. તેની પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી.
અનેક મુખ્યમંત્રીઓએ કેન્દ્રને પત્ર લખ્યો
રાજ્યો તરફથી વીજળીની જરૂરિયાતોને લઇને પત્ર લખવાની વાત પર જવાબ આપતા આરકે સિંહે કહ્યું કે, જેટલી વીજળીની જરૂરિયાત છે, એટલી ઉત્પન્ન થઇ રહી છે. જેને જેટલી જરૂરિયાત છે, તેને એટલી સપ્લાઈ થઇ રહી છે. જો ક્યાંય સપ્લાઈ થઇ નથી રહી તો અમને જણાવી દો. વધુમાં તેમણે કહ્યું કે, જેટલી કોલસાની જરૂરિયાત હતી, એટલો નથી મળ્યો, આ કહેવું ભ્રામક છે. તમારે જેટલો જોઇએ, તમને મળશે.