ચીન સાથે સતત વધતા તણાવ બાદ ભારત હવે ગ્રાઉન્ડ બેઝ પર માર કરવાની પોતાની ક્ષમતાને વધુ મજબૂત કરવા ઈચ્છે છે. તેવામાં ભારત વધુ સ્પાઇસ બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત હવે જે બોમ્બ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે કે તે સ્પાઇસ-૨૦૦૦નું એડ્વાન્સ વર્ઝન હશે, જે ક્ષણભરમાં દુશ્મનોની ઇમારતો અને બંકરોને નષ્ટ કરી દેશે.
મહત્વનું છે કે, સ્પાઇસ-૨૦૦૦ એ બોમ્બ છે, જેનો ઉપયોગ ભારતીય વાયુ સેનાએ ગત વર્ષે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખા પ્રાંતના બાલાકોટ શહેર સ્થિત આતંકી કેમ્પ પર મિરાજ-૨૦૦૦થી કરવામાં આવેલા હુમલામાં કર્યો હતો.
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય વાયુ સેનાની પાસે પહેલેથી જ સ્પાઇસ-૨૦૦૦ બોમ્બ છે. હવે આ સ્પાઇસ-૨૦૦૦ બોમ્બ જેવી આપાતકાલીન ખરીદ શક્તિઓ હેઠળ વધુ સ્ટેન્ડ-ઓફ હથિયાર હાસિલ કરવાની યોજના છે.
સૂત્રોએ જણાવ્યું કે, સ્પાઇસ-૨૦૦૦ બોમ્બ ૭૦ કિલોમીટર સુધી લક્ષ્યને મારી શકે છે. વાયુ સેનાની પાસે બંકર અને ઇમારત નષ્ટ કરનાર સ્પાઇસ ૨૦૦૦નું વર્ઝન હશે, જેમાં મારક ૮૪ વોરહેડ હશે, જે નક્કી કરેલી ઇમારતોને નષ્ટ કરી દેશે.
ચીનની સાથે સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં રાખી સરકારે હથિયાર અને ગોળા-બારૂદ ખરીદવા માટે સેનાની ત્રણેય પાંખને ૫૦૦ કરોડ રૂપિયા સુધીની પ્રતિ ખરીદ પરિયોજનાની કટોકટી આર્થિક શક્તિ આપી હતી.