ભારત હવે ખુદનું જ સ્પેસ સ્ટેશન (Space Station) બનાવશે. ઇસરો (ISRO) પ્રમુખ કે સિવન (K Sivan) આમ વાત કહી છે. ઇસરો ચીફ ડૉ. કે સિવને જણાવ્યું કે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'ગગનયાન મિશન' નો વિસ્તાર થશે.
કે સિવન અનુસાર, આપણે માનવ અંતરિક્ષ મિશન લોન્ચ બાદ ગગનયાન કાર્યક્રમને બનાવી રાખવું પડશે. એને ધ્યાનમાં રાખીને ભારત પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે.
આપને જણાવીએ કે આ પહેલા ઇસરો (ISRO) પ્રમુખે કહ્યું હતું કે ભારતનું લક્ષ્ય ડિસેમ્બર 2021 સુધી માં અંતરિક્ષમાં મનુષ્ય મોકલવાનું છે. એમણે કહ્યું હતું કે અમે અમારા ગગનયાન પ્રોજેક્ટની મદદથી એમ કરવામાં સફળ રહીશું.
જો આપણે નિર્ધારિત સમયની અંદર એવું કરી શકીએ છીએ તો આપણો દેશ વિશ્વનો ચોથો એવો દેશ હશે જે પોતાના બળે અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલી શકીશું. ઇસરો પ્રમુખ કે સિવને બતાવ્યું હતું કે ભારત આ વર્ષ એપ્રિલ સુધી ચંદ્રયાન-2 ના પણ લોન્ચિંગની તૈયારીમાં છે. આપને જણાવી કે, ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત ગત વર્ષે પીએમ મોદીએ કરી હતી.
આપણી પૃથ્વીના ચંદ્ર તરફ ભારતનું બીજુ મિશન 'ચંદ્રયાન 2' શ્રી હરિકોટાથી 15 જૂલાઇને લગભગ આખી અડધી રાતે રવાના થશે. આ સમયે ISRO 3.8 ટન વજનના ઉપગ્રહને અંતિમ રૂપ આપી રહ્યું છે. જેના પર દેશના 600 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ થયો છે. પ્રક્ષેપણ બાદ ઉપગ્રહ 'ચંદ્રયાન-2' ને ઘણા સપ્તાહ લાગશે, ત્યારબાદ તે ચંદ્રમાં દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. આપને જણાવીએ કે આ ચંદ્રમાનો એ ભાગ છે જ્યાં હજુ સુધી દુનિયાનું કોઇ અંતરિક્ષ યાન ઉતર્યું નથી.