ભારત અંતરિક્ષમાં દરેક અર્થમાં દૂનિયાની સૌથી મોટી મહાશકિત્ બનવા જઇ રહ્યું છે. આ ક્રમમાં આગળ વધતા ઇસરોના પ્રમુખે આજરોજ અંતરિક્ષમાં રોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સ્પેસ સ્ટેશન અંગે તેમણે કેટલીક માહિતી પણ આપી હતી. આ પ્રોજેક્ટને તેમણે ભારતનું 'ગગનયાન મિશન' તરીકે નામ આપ્યું છે. અંતરિક્ષમાં સ્પેસ એટલા માટે બનાવવામાં આવે છે કારણ કે વૈજ્ઞાનિક વધારે સમય અંતરિક્ષમાં રહીને રિસર્ચ કરી શકે.
India plans to set up its own space station: ISRO chief
ભારતનું ગગનયાન મિશન અંતરિક્ષમાં માનવ મિશન મોકલવાની યોજના છે. માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ પછી ગગનયાન કાર્યક્રમને બનાવી રાખવો પડશે. આ જ કારણે ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. ગગનયાન મિશન હેઠળ 2022માં અંતરિક્ષયાત્રીઓને અંતરીક્ષમાં મોકલવામાં આવશે.
ગતવર્ષે પ્રધાનમંત્રી મોદીએ પણ સ્વતંત્રતા દિવસ પોતાના વક્તવ્ય દરમિયાન આ મિશની જાહેરાત કરી હતી. આ મિશન હેઠળ ભારત પ્રથમ વખત પોતાના અંતરીક્ષ વિમાન દ્વારા અંતરીક્ષમાં પોતાના યાત્રીઓને મોકલશે.
હાલ અંતરીક્ષમાં કેટલા સ્પેસ સ્ટેશન છે..?
અત્યાર સુધીમાં 2 અંતરીક્ષ સ્ટેશન સ્પેસમાં છે. જે ધરતીના ચક્કર લગાવી રહ્યા છે. જેમાંથી એક છે કેટલાય દેશોના સહયોગથી તૈયાર થયેલ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને બીજું છે ચીનનું તિયાનગોન્ગ-2. જેમાંથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કામ કરતું રહે છે. જેમાં કોઇને કોઇ સતત હાજર હોય છે. તો ચીનના સ્પેસ સ્ટેશનો ઉપયોગ જરૂર પુરતો જ કરવામાં આવે છે.