બ્રેકિંગ ન્યુઝ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 86 કલાક ચાલેલા યુદ્ધનો શનિવારે સાંજે 5 વાગ્યે અંત આવ્યો હતો. એટલે કે, જ્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થઈ હતી. પરંતુ જેના માત્ર 3 કલાક પછી પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું.
આજે સાંજે 5 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો હતો, પરંતુ પાકિસ્તાન તેની ગતિવિધિઓ બંધ કરી રહ્યું નથી. પડોશી દેશે માત્ર સાડા ત્રણ કલાકમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું.
શાહબાઝ શરીફની ફેકમફેક,
May 11, 2025 00:10
પાકિસ્તાની પીએમ શાહબાઝનું જૂઠાણું ફેલાવતા કહ્યું કે, ભારતે પહેલા યુદ્ધવિરામ તોડ્યો અને પહેલગામની આડમાં પાકિસ્તાન પર હુમલો પાયાવિહોણો છે, અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડવા તૈયાર છીએ
'દરેક કટોકટીનો સામનો કરવા તૈયાર રહો'
May 11, 2025 00:06
કેન્દ્રીય ગૃહ સચિવે સરહદી રાજ્યોના મુખ્ય સચિવો સાથે વાત કરી છે. તેમણે નાગરિક સંરક્ષણના ડીજી સાથે પણ વાત કરી અને રાજ્યમાં સરહદની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી મેળવી. એટલું જ નહીં, નાગરિક સંરક્ષણને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે.
'યુદ્ધએ ભારતની પસંદગી નથી'
May 10, 2025 23:37
સીપીસી સેન્ટ્રલ કમિટીના પોલિટિકલ બ્યુરોના સભ્ય અને સેન્ટ્રલ ફોરેન અફેર્સ ઓફિસના ડિરેક્ટર વાંગ યીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ સાથે ફોન પર વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલામાં ભારતીય જવાનોની ગંભીર જાનહાનિ થઈ હતી અને ભારતે આતંકવાદ વિરોધી પગલાં લેવાની જરૂર છે. યુદ્ધએ ભારતની પસંદગી ન હતી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી. ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે પ્રતિબદ્ધ રહેશે અને શક્ય તેટલી વહેલી તકે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે આતુર રહેશે. વાંગ યીએ કહ્યું કે ચીન પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરે છે અને તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અશાંત અને એકબીજા સાથે જોડાયેલી છે. એશિયાઈ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સખત રીતે જીતવામાં આવી છે અને તેની પ્રશંસા કરવાને પાત્ર છે. ભારત અને પાકિસ્તાન એવા પાડોશીઓ છે જેને દૂર ખસેડી શકાય તેમ નથી અને બંને ચીનના પડોશીઓ છે, ચીન તમારા નિવેદનની પ્રશંસા કરે છે કે યુદ્ધ એ ભારતની પસંદગી નથી, અને નિષ્ઠાપૂર્વક આશા રાખે છે કે ભારત અને પાકિસ્તાન શાંત અને સંયમિત રહેશે, વાતચીત અને પરામર્શ દ્વારા મતભેદોને યોગ્ય રીતે સંભાળશે અને પરિસ્થિતિને વધવાથી ટાળશે, ચીન ઈન્દિલા અને પાકિસ્તાનને સમર્થન આપે છે અને અપેક્ષા રાખે છે કે તેઓ છેલ્લા પરામર્શ દ્વારા સમાધાન કરે. આ ભારત અને પાકિસ્તાનના મૂળભૂત હિતમાં છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયની સામાન્ય ઈચ્છા પણ છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની મોટી બેઠક
May 10, 2025 23:18
મુખ્ય સચિવ પંકજ જોશી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવી તથા ડીજીપી સિવિલ ડિફેન્સ મનોજ અગ્રવાલ પોહોંચ્યા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, તેમણે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક યોજી છે
ચીનનો અસલી ચહેરો સામે આવ્યો!
May 10, 2025 23:12
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને પોતાનો સાચો રંગ બતાવી દીધો છે. પાકિસ્તાનના સમર્થનમાં બોલતા તેમણે કહ્યું કે તેઓ તેની સાથે ઉભા રહેશે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ શનિવારે કહ્યું કે તેમનો દેશ પાકિસ્તાનની "સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા" જાળવી રાખવામાં તેની સાથે રહેશે. વિદેશ કાર્યાલયના નિવેદન અનુસાર, ચીનના વિદેશ મંત્રીએ નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન આ ટિપ્પણીઓ કરી હતી.
સેનાને નક્કર પગલાં લેવા સૂચના: વિક્રમ મિશ્રી
May 10, 2025 23:04
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયાના થોડા કલાકો પછી જ પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું. ભારતે તેનો સખત વિરોધ કર્યો છે. મોડી રાત્રે પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ખુલ્લેઆમ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જે ખૂબ જ નિંદનીય છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક કલાકોથી વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, જે આજે સાંજે થયેલા પરસ્પર કરારનું સીધું ઉલ્લંઘન છે. આ માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે અને અમે તેમને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવા અને તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપીએ છીએ. તેમણે કહ્યું કે, ભારતીય સુરક્ષા દળોને કોઈપણ ઉલ્લંઘનનો કડક અને સચોટ જવાબ આપવા સૂચના આપવામાં આવી છે.
#WATCH | दिल्ली: विदेश सचिव विक्रम मिस्री ने कहा, "सशस्त्र बल स्थिति पर कड़ी निगरानी रख रहे हैं और उन्हें अंतरराष्ट्रीय सीमा के साथ-साथ नियंत्रण रेखा पर सीमा उल्लंघन की किसी भी पुनरावृत्ति की घटना से सख्ती से निपटने के निर्देश दिए गए हैं।" pic.twitter.com/Bkwr0oV9gO
— ANI_HindiNews (@AHindinews) May 10, 2025
પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું: વિક્રમ મિશ્રી
May 10, 2025 22:58
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું છે, તેમણે કહ્યું કે, સેના પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. સેનાને નક્કર પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
કચ્છના જખૌમાં પણ ફરી ડ્રોન દેખાયું
May 10, 2025 22:46
કચ્છના જખૌમાં પણ ફરી દેખાયું ડ્રોન, એરફોર્સ દ્વારા 9 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા
ઉધમપુરમાં પણ પાકિસ્તાને કર્યું સિઝફાયર!
May 10, 2025 22:46
ઉધમપુરમાં પણ પાકિસ્તાને કર્યું સિઝફાયર! ભારતીય ડિફેન્સ સિસ્ટમે ડ્રોન તોડી પાડયા
ભારતે કરી જવાબી કાર્યવાહી
May 10, 2025 22:33
પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો, જેના જવાબમાં ભારતે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી છે. પેશાવર સહિત પાકિસ્તાનના ઘણા શહેરોમાં વિસ્ફોટો થયા છે.
LoC પર કોઈ ગોળીબાર નથી: સેના
May 10, 2025 22:16
સેનાના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે હાલમાં નિયંત્રણ રેખા (LoC) પર કોઈ ગોળીબાર થઈ રહ્યો નથી. ઉપરાંત, શ્રીનગરમાં થયેલા વિસ્ફોટ અંગેના જે સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા હતા તે પણ પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું છે.
સાંતલપુરમાં બ્લેકઆઉટની સૂચના
May 10, 2025 22:01
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના તમામ ગામોમાં તાત્કાલિક અસરથી બ્લેકઆઉટની સૂચના આપવામાં આવી છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા અનુરોધ છે.
પંજાબના ઘણા વિસ્તારોમાં ડ્રોન દેખાયા
May 10, 2025 22:00
પંજાબના 6 અલગ અલગ વિસ્તારોમાં શંકાસ્પદ ડ્રોન ગતિવિધિઓ નોંધાઈ છે. આ વિસ્તારો સંવેદનશીલ માનવામાં આવે છે.
- ગુરદાસપુર
- ફિરોઝપુર
- પઠાણકોટ
- હોશિયારપુર
- જલંધર
- ફરીદકોટ
સૂઈગામ અને વાવમાં બ્લેકઆઉટની સૂચના
May 10, 2025 21:56
બનાસકાંઠા જીલ્લાના સૂઈગામ અને વાવ તાલુકાનાં તમામ ગામોમાં તકેદારીના ભાગરૂપે બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી છે. તમામ નાગરીકોને અફવાઓ થી દૂર રેહવા અને વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા કલેકટરે અનુરોધ છે.
બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ થયો
May 10, 2025 21:35
જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ ફરી એકવાર તીવ્ર બની છે. શનિવારે રાત્રે પાકિસ્તાને ઘણા વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારે ગોળીબાર કર્યો છે જ્યારે કાશ્મીરના બારામુલા જિલ્લામાં એક શંકાસ્પદ ડ્રોનને કારણે વિસ્ફોટ થયો છે.
લાઇવ ટીવી
સૌથી વધુ વંચાયેલું
અન્ય લાઇવ અપડેટ
લાઈવ અપડેટ
પુરીમાં જગન્નાથ રથયાત્રા / પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકતોનું ઘોડાપુર ઉભરાયું
લાઈવ અપડેટ
Rath Yatra LIVE / નીજ મંદિર પહોંચ્યાં રથ, શાંતિપૂર્ણ રીતે રથયાત્ર સંપન્ન