પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યુ કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત ફરી શરુ કરવા માટે સાઉદી અરબને ત્રીજા પક્ષો બનાવવાના પગલાનું સ્વાગત કરે છે.
ભારત- પાક સાથે વાતચીત ફરી શરુ કરવા પાકિસ્તાન બેબાકળુ
પાકિસ્તાન સાઉદી અરબને ત્રીજા પક્ષો બનાવવા માંગે છે
ભારત સાથે સંબંધમાં સુધારવા માટે સાઉદી અરબનો ઉપયોગ
પાકિસ્તાન સાઉદી અરબને ત્રીજા પક્ષો બનાવવા માંગે છે
જમ્મુ- કાશ્મીરની કલમ 370ને ભારતનો આંતરિક મામલો ગણાવીને પોતાના દેશમાં પોતાની ફજેતી કરાવી ચૂકેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ બન્ને દેશોની વચ્ચે વાતચીત માટે સાઉદી અરબને મધ્યસ્થ બનાવવાની વાત કરી છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન ભારત સાથે વાતચીત ફરી શરુ કરવા માટે સાઉદી અરબને ત્રીજા પક્ષો બનાવવાના પગલાનું સ્વાગત કરે છે.
સાઉદી અરબ પાકિસ્તાનનું મિત્ર છે
અરબ ન્યૂઝના જણાવ્યાનુસાર ઈસ્લામાબાદમાં એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યુ કે સાઉદી અરબ પાકિસ્તાનનું મિત્ર છે અને ભારત સાથે તેના મજબૂત વ્યાપારિક સંબંધ છે. ભારત સાઉદીથી તેલ આયાત કરે છે. જો સાઉદી અરબ અથવા કોઈ અન્ય સૂત્રધારની ભૂમિકા નિભાવવા માંગે છે તો અમે પહેલું સ્વાગત કરીશું.
જમ્મુ કાશ્મીરનો કોઈ પણ મામલો ભારતનો આંતરિક મામલો ન હોઈ શકે- કુરૈશી
આ પહેલા શાહે 370ને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો. તેમણે સફાઈ આપતા કહ્યુ કે જમ્મુ કાશ્મીરનો કોઈ પણ મામલો ભારતનો આંતરિક મામલો ન હોઈ શકે. તેમણે કહ્યુ હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે જમ્મુ કશ્મીરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં આંતરિક વિવાદ માનવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રની નજરમાં જનમત સંગ્રહના માધ્યમથી આ વિવાદનું અંતિમ સમાધાન હોઈ શકે છે. જમ્મુ કાશ્મીર સાથે જોડાયેલો કોઈ મુદ્દો આંતરિક ન હોઈ શકે.
ઉલ્લેખનીય છે કે 370 મુદ્દે કોઈ પણ દેશે પાકિસ્તાને સમર્થન નહોંતુ આપ્યુ. સાઉદી અરબે પણ તેને સમર્થન નહોંતુ આપ્યુ. નોંધનીય છે કે હાલમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાઉદી અરબના 3 દિવસના પ્રવાસ બાદ પાછા ફર્યા છે. આ પ્રવાસ દરમિયાન પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે અનેક સમજૂતિ પર હસ્તાક્ષર થયા છે. બન્ને દેશોના સંબંધો સુધરી રહ્યા છે આના પર કુરૈશીકહ્યુ કે આ પગલાથી એ તત્વોને ઠેસ પહોંચી છે જે આ બે દેશઓની વચ્ચે તિરાડ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
ભારત સાથે સંબંધમાં સુધારવા માટે સાઉદી અરબનો ઉપયોગ
કદાચ એ જ કારણ છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીએ ભારત સાથે સંબંધમાં સુધારવા માટે સાઉદી અરબનો ઉપયોગ કરી રહ્યું છે. તે સાઉદી અરબને ભારત પાકની વાતચીતમાં ત્રીજો પક્ષ બનાવવા તત્પર છે પણ એ ભારત જ છે જે આનાથી દૂર રહ્યું છે.