આ વખતે એમને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેમાં મોદી સરકારને દોષી કરાર કરી છે.
પૂર્વ પાકિસ્તાની શાહિદ આફરીદીનું વિવાદાસ્પદ નિવેદન
આફરીદીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરી
મોદી સરકારના આવ્યા પછી ભારત-પાકિસ્તાનના સંબંધ વધુ ખરાબ થયા
પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહિદ આફરીદીનો અભિમાની અંદાજ ફરી એક વખત જોવા મળ્યો છે. આ વખતે એમને ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે તેમાં મોદી સરકારને દોષી કરાર કરી છે. સાથે એમને એમ પણ કહ્યું હતું કે મોદી સરકારના આવ્યા પછી ભારત-પાકિસ્તાનના સંબંધ વધુ ખરાબ થયા છે.
India have played outstanding cricket and deserve to win the series. Really impressive bowling performance, they'll surely be one of the favourites for the T20 World Cup in Australia https://t.co/5vqgnBYfIX
આફરીદીએ એક સ્થાનીય ન્યૂજ ચેનલ પર કહ્યું હતું કે, 'ક્રિકેટ એક એવો ખેલ છે જેને બંને દેશને સાથે લાવ્યા હતા. બાબર આઝમે એક સકારાત્મક સંદેશ આપ્યો હતો. મને લાગે છે કે વિરાટ કોહલીએ પણ બાબરને સારો જવાબ આપ્યો હશે. ' વિરાટ કોહલી હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં બાબર આઝમે કોહલીને સપોર્ટ કરતાં એક તસવિર શેર કરી હતી અને સાથે જ તેના કેપ્શનમાં લખ્યું હતું કે 'આ ખરાબ સમય છે જે જલ્દી જ ચાલ્યો જશે, હિંમત ન હારતાં.'
ક્રિકેટ પછી રાજનીતિમાં પ્રવેશ કરવાની કોશિશ કરતાં આફરીદી એ ફરી એક્ વખત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરી છે. એમને મોદી સરકારની આલોચના કરતાં કહ્યું હતું કે, 'મને લાગે છે કે મોદી સરકારના આવ્યા પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે વસ્તુઓ વધુ ખરાબ બની છે. મોદી સરકાર પહેલા બંને દેશો વચ્ચે આટલા ખરાબ સંબંધો નહતા. એ સમયે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય હતા.'
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે દ્વિપક્ષીય સિરિજ વર્ષ 2012માં રમાઈ હતી. એ સમયે પાકિસ્તાનની ટીમ ભારત ટુર પર આવી હતી, એ પછી બંને દેશો વચ્ચે કોઇ સિરિજ નથી રમાઈ. બંને ટીમ બસ આઇસીસી ટુર્નામેન્ટમાં સામસામે આવે છે.